લોકડાઉન ૩.૦ બાદ શું તેને લઈને સમગ્ર દેશવાસીઓને અનેક સવાલો છે તેવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે ૮ વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પરથી આ વાતની જાણકારી આપવામાં આવી છે.દેશ કોરોના વાયરસના કારણે લાગુ લોકડાઉનની વચ્ચે આ પીએમ મોદીનું ચોથું રાષ્ટ્રના નામે સંબોધન હશે. માનવામાં આવી રહ્યું છે કે COVID-19 મહામારીની વચ્ચે આગળના નિર્ણયની જાણકારી વડાપ્રધાન મોદી આ સંબોધનમાં કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમવારે રાજયોના મુખ્યમંત્રીઓ સાથે લગભગ ૬ કલાકની મેરથોન બેઠક યોજાઈ હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સંકેત આપ્યા કે લોકડાઉનને સમગ્રપણે નહીં હટાવવામાં આવે પરંતુ પ્રતિબંધોમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમનું માનવું છે કે લોકડાઉનના પહેલા ત્રણ ચરણમાં જે ઉપાયોની જરૂરિયાત હતી, તો ચોથામાં જરૂરી નથી. ૨૫ માર્ચથી લાગુ ૫૪ દિવસનું લોકડાઉન ૧૭ મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે તેને લાગુ કરવામાં આવ્યું હતું.
