June 24, 2026
દેશ

૦૮ વાગે વડાપ્રધાન નું રાષ્ટ્રને સંબોધન

લોકડાઉન ૩.૦  બાદ શું તેને લઈને સમગ્ર દેશવાસીઓને અનેક સવાલો છે તેવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજે રાત્રે ૮ વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. વડાપ્રધાન  કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પરથી આ વાતની જાણકારી આપવામાં આવી છે.દેશ કોરોના વાયરસના કારણે લાગુ લોકડાઉનની વચ્ચે આ પીએમ મોદીનું ચોથું રાષ્ટ્રના  નામે  સંબોધન હશે. માનવામાં આવી રહ્યું છે કે COVID-19 મહામારીની વચ્ચે આગળના નિર્ણયની જાણકારી વડાપ્રધાન મોદી આ સંબોધનમાં કરી શકે છે         વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમવારે રાજયોના મુખ્યમંત્રીઓ  સાથે લગભગ ૬ કલાકની મેરથોન બેઠક યોજાઈ હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સંકેત આપ્યા કે લોકડાઉનને સમગ્રપણે નહીં હટાવવામાં આવે પરંતુ પ્રતિબંધોમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમનું  માનવું છે કે લોકડાઉનના પહેલા ત્રણ ચરણમાં જે ઉપાયોની જરૂરિયાત હતી, તો ચોથામાં જરૂરી નથી. ૨૫ માર્ચથી લાગુ ૫૪ દિવસનું લોકડાઉન ૧૭ મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે તેને લાગુ કરવામાં આવ્યું હતું.

Related posts

નાના પાટેકરે પોતાના નિર્મલા ગજાનન ફાઉન્ડેશન અંતર્ગત આ મુલાકાત લીધી, ૧૧૭ પરિવારોને કુલ ૪૨ લાખની મદદ આપવામાં આવી

Ahmedabad Samay

કેન્‍દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું સામાન્‍ય બજેટ ૨૦૨૩ રજૂ કર્યું

Ahmedabad Samay

RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો, EMI થશે ઘટાડો, મધ્યમવર્ગના લોકોને રાહત

Ahmedabad Samay

ભારતે ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૦૬ રનથી હરાવ્યું અને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો કરી ઐતિહાસિક જીત મેળવી છે.

Ahmedabad Samay

દેશને લોકડાઉન થી બચાવવાનું છે: PM નરેન્દ્ર મોદી

Ahmedabad Samay

તમિલનાડુના કરુરમાં શનિવારે અભિનેતા અને તમિલનાડુ વેટ્ટી કઝગમ (TVK)ના વડા વિજયની ચૂંટણી રેલી દરમિયાન એક ભયાનક ભાગદોડ મચી, આશરે ૩૬ લોકોના મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો