July 27, 2026
ગુજરાત

વરસાદના ધસમસતા પાણી સોસાયટીના બેઝમેન્‍ટ પાર્કિગમાં ઘૂસી જતાં પાર્ક કરેલા વાહનોની કારમી દશા થઈ

અમદાવાદ તા.૨૭: શહેરમાં પડેલા ભારે વરસાદે ઠેર-ઠેર તારાજી સર્જી છે, ત્‍યારે જોધપુર વોર્ડમાં આવેલા ‘અર્થ-૧૨ એલિગન્‍સ’ સોસાયટીમાંથી ગંભીર નુકસાનના દ્રશ્યો સામે આવ્‍યા છે. વરસાદના ધસમસતા પાણી સોસાયટીના બેઝમેન્‍ટ પાર્કિગમાં ઘૂસી જતાં પાર્ક કરેલા વાહનોની કારમી દશા થઈ છે. બેઝમેન્‍ટમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાઈ જવાથી કરોડો રૂપિયાની મોંઘીદાટ ગાડીઓ એકબીજા સાથે અથડાઈને રમકડાંની જેમ તણાઈ હતી અને ગાડીઓના ઢગલા થઈ ગયા હતા.

ભારે વરસાદના પગલે જોધપુર વિસ્‍તારમાં આવેલા ‘અર્થ-૧૨ એલિગન્‍સ’ કોમ્‍પ્‍લેક્‍સના બેઝમેન્‍ટમાં જોતજોતામાં જળબંબાકારની સ્‍થિતિ સર્જાઈ હતી. બેઝમેન્‍ટમાં પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે સ્‍થાનિક રહીશો પોતાના વાહનો સલામત સ્‍થળે ખસેડે તે પહેલાં જ સમગ્ર પાર્કિગ જળમગ્ન થઈ ગયું હતું. પાણીના ભારે પ્રવાહને કારણે પાર્કિગમાં મૂકેલી લક્‍ઝુરિયસ ગાડીઓ તરવા લાગી હતી અને એકબીજા સાથે ધડાકાભેર અથડાતાં ગાડીઓનો મોટો ઢગલો થઈ ગયો હતો.

વરસાદી પાણી ઓસર્યા બાદ બેઝમેન્‍ટમાં જે દ્રશ્‍યો જોવા મળ્‍યા તે અત્‍યંત ભયાનક હતા. કરોડો રૂપિયાની કિમત ધરાવતી કિમતી ગાડીઓ કાદવ-કીચડથી લથબથ થઈને નકામી બની ગઈ હોય તેમ છિન્નભિન્ન હાલતમાં પડી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્‍થાનિક કાઉન્‍સિલર ભાગ્‍યેશ પટેલ તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચ્‍યા હતા. તેમણે સ્‍થાનિક તંત્ર અને કર્મચારીઓ સાથે યોગ્‍ય સંકલન સાધીને બેઝમેન્‍ટમાંથી પમ્‍પિંગ દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી.

પાણીના નિકાલ બાદ પણ બેઝમેન્‍ટમાં ભરાયેલા કાદવ અને વાહનોને થયેલા ભારે નુકસાનના કારણે સોસાયટીના રહીશોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. અચાનક આવેલી આ હોનારતમાં રહીશોને લાખો-કરોડો રૂપિયાનું સીધું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્‍યો છે.

Related posts

અમદાવાદ – જીવરાજ પાર્ક અવધ આર્કેટમાં લાગી આગ, 4 લોકોનું રેસ્ક્યુ, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા

Ahmedabad Samay

કોરોનાની ત્રીજી લહેરે પહેલી અને બીજી લહેરનો તોડ્યો રેકોર્ડ, કોરોનાએ પકડી સુપર સ્પીડ

Ahmedabad Samay

ગણવેશ, બુટ, પુસ્તક, સાહિત્ય અને સ્ટેશનરીની વસ્તુઓ કોઇ ચોક્કસ દુકાનેથી જ ખરીદવા દબાણ નહિ કરી શકે. જો કરશે તો હવે દંડ ભરવો પડશે શાળાને

Ahmedabad Samay

સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે, હવે તેમની ખેર નહિ: હર્ષ સંઘવી

Ahmedabad Samay

વડાપ્રધાનનો આજથી બે દિવસનો ગુજરાત પ્રવાસ, રાજકોટથી ગાંધીનગર સુધીનો આ છે કાર્યક્રમ

Ahmedabad Samay

PM 27 જૂને સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજના લીંક 3નું લોકાર્પણ કરશે, 1 લાખ લોકોને મળશે નર્મદાના પાણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો