September 11, 2026
ગુજરાતરાજકારણ

અમરાઈવાડીમાં જગદીશ વિશ્વકર્માના હસ્તે લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન, વરિષ્ઠ નાગરિકોને AMTS/BRTSના નિઃશુલ્ક પાસ

અમદાવાદ: અમદાવાદના અમરાઈવાડી ખાતે મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉ. રાકેશ સક્સેનાના લોકસંપર્ક કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વરિષ્ઠ નાગરિકો માટે AMTS/BRTSની નિઃશુલ્ક મુસાફરીના પાસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી વરિષ્ઠ નાગરિકોને જાહેર પરિવહનની સુવિધાનો લાભ વધુ સરળતાથી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

‘જનસેવા, જનસંપર્ક અને જનકલ્યાણ’નો સંકલ્પ

કાર્યક્રમ દરમિયાન જગદીશભાઈ વિશ્વકર્માએ જનસેવા, જનસંપર્ક અને જનકલ્યાણના સંકલ્પ સાથે સતત લોકોની વચ્ચે રહી સેવા કરવાનો પ્રયાસ વધુ મજબૂત બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

તેમણે લોકસંપર્ક કાર્યાલયના માધ્યમથી સ્થાનિક નાગરિકોના પ્રશ્નો અને જરૂરિયાતોને વધુ નજીકથી સમજવામાં તથા જનસેવાના કાર્યોને વેગ આપવામાં મદદ મળે તેવી આશા વ્યક્ત કરી હતી.

ભાજપના આગેવાનો અને નાગરિકોની ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, શહેર ભાજપા અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો, ભાજપાના આગેવાનો, સ્થાનિક નગરસેવકો સહિત મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ નાગરિકોને AMTS/BRTSના નિઃશુલ્ક મુસાફરીના પાસનું વિતરણ કરવામાં આવતા ઉપસ્થિત નાગરિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો

Related posts

આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી, 7થી 11 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા

Ahmedabad Samay

રાત્રે એક વાગ્યે શારીરિક સંબંધ બાંધવા બાબતે ઝગડો કરી પત્નીને કાઢી મુકતા મહિલાએ ૧૮૧ પર ફરિયાદ કરી

Ahmedabad Samay

રાજપૂત સમાજ ની દીકરીબાઓ એ તલવારરાસ મા ફસ્ટ રેન્ક મેળવ્યો

Ahmedabad Samay

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી ટૂંક સમયમાં જાહેર થશે

Ahmedabad Samay

એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં જીવ ગુમાવનાર સ્વ. રાજેન્દ્રભાઈ પાટનકરના ધર્મ પત્નીને આજ રોજથી આજીવન સુધી પેંશન ચાલુ કરવામાં આવી,

Ahmedabad Samay

વડોદરા: એમ.એસ. યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર સિન્ડિકેટના તમામ સભ્યોનું બેઠકમાંથી વોક આઉટ, આ છે કારણ!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો