June 23, 2026
ગુજરાતરાજકારણ

નાના વહેપારીઓ ને ફરી ઉદ્યોગ ઉભા કરવા મહત્વની યોજના

રાજ્‍યના સામાન્‍ય વર્ગના વેપારીઓ તેમજ કારીગરોને કોરોનાની પરિસ્‍થિતિમાંથી આર્થિક રીતે ફરી ઉભા થવા માટે રાજ્‍ય સરકારે આત્‍મનિર્ભર ગુજરાત નામની મહત્‍વની  યોજના આજે જાહેર કરી છે. આર્થિક રીતે સામાન્‍ય વર્ગ માટે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આ પગલુ ખૂબ મહત્‍વનુ ગણાય છે. યોજનાની જાહેર થયેલ વિગત મુજબ નાના વેપારીઓ અને કારીગરોને તેનો લાભ મળવા પાત્ર થશે.

શુ હશે યોજના :

રાજ્‍યની ૧૮ જેટલી સહકારી બેન્‍કો મારફત કોઈપણ જાતની મિલકત કે વસ્‍તુ ગિરવે મુકયા વગર નીતિનિયમને આધીન રૂા. ૧ લાખ સુધીની લોન મેળવી શકશે.

પ્રથમ ૬ મહિના માટે તેમા કોઈ હપ્તો કે વ્‍યાજ ભરવુ નહિ પડે.

૩ વર્ષ પછી કુલ વ્‍યાજ ૬% થશે.

બેન્‍કોને જે વ્‍યાજ ચુકવવાનુ થાય છે તે પૈકી ૬ %  રાજ્‍ય સરકાર બોજ ઉઠાવશે.

લોન લેનાર માટે માત્ર ૨%ના વ્‍યાજનો બોજ જ આવશે.                    

લોકડાઉનમાં લાંબા સમયથી વેપાર ધંધા બંધ હોવાથી નાના વેપારીઓને તેમજ કારીગર વર્ગને ફરી આત્‍મનિર્ભર થવા આ લોન યોજના ઉપયોગી થશે.

Related posts

અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાની યોજાઇ મહત્વની બેઠક

Ahmedabad Samay

” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ અને આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદને ૨૭ ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Samay

“ટુંક સમયમાં ધોરણ ૬થી ૮ અને પછી ૧ થી ૭ના વર્ગો શરૂ થઈ શકે છે

Ahmedabad Samay

ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે બસ અને સ્કૂલવાન વચ્ચે બન્યો ગમખ્વાર અકસ્માત

Ahmedabad Samay

વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વેકસીન લીધા પહેલા જરૂર રક્તદાન કરો : ભૈરવી લાખાણી

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટીની સોમવાર સુધી બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો