May 8, 2026
ગુજરાતરાજકારણ

નાના વહેપારીઓ ને ફરી ઉદ્યોગ ઉભા કરવા મહત્વની યોજના

રાજ્‍યના સામાન્‍ય વર્ગના વેપારીઓ તેમજ કારીગરોને કોરોનાની પરિસ્‍થિતિમાંથી આર્થિક રીતે ફરી ઉભા થવા માટે રાજ્‍ય સરકારે આત્‍મનિર્ભર ગુજરાત નામની મહત્‍વની  યોજના આજે જાહેર કરી છે. આર્થિક રીતે સામાન્‍ય વર્ગ માટે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આ પગલુ ખૂબ મહત્‍વનુ ગણાય છે. યોજનાની જાહેર થયેલ વિગત મુજબ નાના વેપારીઓ અને કારીગરોને તેનો લાભ મળવા પાત્ર થશે.

શુ હશે યોજના :

રાજ્‍યની ૧૮ જેટલી સહકારી બેન્‍કો મારફત કોઈપણ જાતની મિલકત કે વસ્‍તુ ગિરવે મુકયા વગર નીતિનિયમને આધીન રૂા. ૧ લાખ સુધીની લોન મેળવી શકશે.

પ્રથમ ૬ મહિના માટે તેમા કોઈ હપ્તો કે વ્‍યાજ ભરવુ નહિ પડે.

૩ વર્ષ પછી કુલ વ્‍યાજ ૬% થશે.

બેન્‍કોને જે વ્‍યાજ ચુકવવાનુ થાય છે તે પૈકી ૬ %  રાજ્‍ય સરકાર બોજ ઉઠાવશે.

લોન લેનાર માટે માત્ર ૨%ના વ્‍યાજનો બોજ જ આવશે.                    

લોકડાઉનમાં લાંબા સમયથી વેપાર ધંધા બંધ હોવાથી નાના વેપારીઓને તેમજ કારીગર વર્ગને ફરી આત્‍મનિર્ભર થવા આ લોન યોજના ઉપયોગી થશે.

Related posts

ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ ૨૪ પ્રધાનોનો સમાવેશ, મંત્રીઓને આ પ્રમાણે ખાતાની ફાળવણી કરવામાં આવી છે.

Ahmedabad Samay

અમદાવાદ – સિવિલ હોસ્પિટલમાં માતાનું અંગદાન કરીને 20 વર્ષના પુત્ર એ ચાર જીંદગી બચાવી !!

Ahmedabad Samay

તાંડવ વેબ સિરીઝ સમક્ષ કરણી સેનાએ રોષ વ્યકત કર્યો.

Ahmedabad Samay

નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પી. પ્રભાકરણ સરકાર પર પ્રહાર

Ahmedabad Samay

ચૂંટણી ટાણે રામોલ પોલીસે રૂ. ૧.૩૪ કરોડની રોકડ રકમ સાથે યુવકની ધરપકડ કરી

Ahmedabad Samay

મોટર સાયકલની નવી ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો