March 24, 2026
ગુજરાતરાજકારણ

નાના વહેપારીઓ ને ફરી ઉદ્યોગ ઉભા કરવા મહત્વની યોજના

રાજ્‍યના સામાન્‍ય વર્ગના વેપારીઓ તેમજ કારીગરોને કોરોનાની પરિસ્‍થિતિમાંથી આર્થિક રીતે ફરી ઉભા થવા માટે રાજ્‍ય સરકારે આત્‍મનિર્ભર ગુજરાત નામની મહત્‍વની  યોજના આજે જાહેર કરી છે. આર્થિક રીતે સામાન્‍ય વર્ગ માટે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આ પગલુ ખૂબ મહત્‍વનુ ગણાય છે. યોજનાની જાહેર થયેલ વિગત મુજબ નાના વેપારીઓ અને કારીગરોને તેનો લાભ મળવા પાત્ર થશે.

શુ હશે યોજના :

રાજ્‍યની ૧૮ જેટલી સહકારી બેન્‍કો મારફત કોઈપણ જાતની મિલકત કે વસ્‍તુ ગિરવે મુકયા વગર નીતિનિયમને આધીન રૂા. ૧ લાખ સુધીની લોન મેળવી શકશે.

પ્રથમ ૬ મહિના માટે તેમા કોઈ હપ્તો કે વ્‍યાજ ભરવુ નહિ પડે.

૩ વર્ષ પછી કુલ વ્‍યાજ ૬% થશે.

બેન્‍કોને જે વ્‍યાજ ચુકવવાનુ થાય છે તે પૈકી ૬ %  રાજ્‍ય સરકાર બોજ ઉઠાવશે.

લોન લેનાર માટે માત્ર ૨%ના વ્‍યાજનો બોજ જ આવશે.                    

લોકડાઉનમાં લાંબા સમયથી વેપાર ધંધા બંધ હોવાથી નાના વેપારીઓને તેમજ કારીગર વર્ગને ફરી આત્‍મનિર્ભર થવા આ લોન યોજના ઉપયોગી થશે.

Related posts

વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવીન સંશોધનોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત માં બીજા વાહ સાયન્સ લોરીએટ એવોર્ડ માટે નામાંકન શરૂ

Ahmedabad Samay

ગુહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

Ahmedabad Samay

RTOના અધિકારી અને કર્મચારી ડબલ શિફટમાં કામ કરશે

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી કરવામાં આવી રહેલી કડક કાર્યવાહીના વિરોધમાં અમદાવાદ રિક્ષાચાલક એસોસિએશન દ્વારા રિક્ષા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું

Ahmedabad Samay

આગામી પાંચ દિવસમાં ઠંડીનો બીજો રાઉન્ડ આવશે, બધું થીજવી દેશે

Ahmedabad Samay

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર. શાળાનો વહીવટ સરકાર હસ્તક લેવાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો