May 9, 2026
દેશ

અલલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, લાઉડ સ્પીકર વડે અઝાન પર પ્રતિબંધ યોગ્ય.

                       અલ્‍હાબાદ હાઈકોર્ટે દ્વારા ગઈકાલે મસ્‍જીદોમાં અજાન આપવાના પ્રકરણમાં એક મોટો ફેંસલો સંભળાવ્‍યો છે. કોર્ટે કહ્યુ છે કે મસ્‍જિદોમાં અજાનથી કોવિડ-૧૯ની ગાઈડલાઈન્‍સનું  ઉલ્લંઘન નથી થતું પણ લાઉડ સ્‍પીકરથી અજાન એ ઈસ્‍લામનો ભાગ નથી. કોઈ પણ મસ્‍જિદમાંથી લાઉડ સ્‍પીકરથી અજાન એ બીજા લોકોના અધિકારોમાં હસ્‍તક્ષેપ  છે. કોર્ટે જણાવ્યું છે કે જે મસ્‍જિદો પાસે લાઉડ સ્‍પીકરની પરવાનગી છે તે તેનો ઉપયોગ કરે. તંત્રની મંજુરી વગર અજાન ન આપે.

કોર્ટે વધુમાં જણાવ્યું હતુ કે આર્ટિકલ 21 સ્વસ્થ જીવનનો અધિકાર આપે છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કોઈ બીજાને બળજબરીથી વર્ણવવાનો અધિકાર આપતી નથી. ત્યાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી સ્પીકરના અવાજ પર રોક છે. કોર્ટના ઘણા નિર્ણયો છે, જેના પર સરકારને નિયંત્રણ કરવાનો અધિકાર છે.

            ધ્વનિ પ્રદુષણ મુકત નિંદરનો અધિકાર જીવનના મૂળભૂત અધિકારોનો ભાગ છે. કોઈપણ વ્‍યકિતને પોતાના મૂળ અધિકારો માટે બીજાના મૂળ અધિકારોનું ઉલ્લંઘન કરવાનો હક્ક નથી. રાત્રે ૧૦થી સવારે ૬ સુધી સ્‍પીકરના અવાજ પર પ્રતિબંધનો કાયદો છે. જેમને પરવાનગી મળી છે તે મસ્‍જિદ જ આવુ કરી શકે છે

આ આદેશ ન્‍યાયમૂર્તિ શશીકાંત ગુપ્‍તા તથા ન્‍યાયમૂર્તિ અજીતકુમારની ખંડપીઠે ગાજીપુરના સાંસદ અફજાલ અન્‍સારી તથા ફરૂખાબાદના સૈયદ ફૈઝલની અરજીઓને નકારી કાઢતા  આપ્‍યો હતો. કોરોનાને રોકવા ગાજીપુરના કલેકટરે અજાન પર મૌખિક રીતે પ્રતિબંધ મુકયો હતો. તેને લોકડાઉનનુ ઉલ્લંઘન ગણાવ્‍યુ હતું. તે પછી ફરખુબાદમાં પણ આવો કેસ  સામે આવ્‍યો હતો. ગાજીપુરના કલેકટરના આદેશ વિરૂદ્ધ સાંસદે મુખ્‍ય ન્‍યાયધીશને પત્ર લખ્‍યો હતો જેને કોર્ટે જનહિતમાં સ્‍વીકાર  કર્યો હતો. પત્રમાં તર્ક અપાયો હતો કે રમજાનમાં લાઉડ સ્‍પીકરથી અજાનની પરવાનગી ન આપવી એ ધાર્મિક સ્‍વતંત્રતા તથા મૂળ અધિકારોનો ભંગ છે. કોર્ટે ફેંસલો સંભળાવતા કહ્યુ છે કે અજાનથી લોકડાઉનનો ભંગ નથી થતો પરંતુ લાઉડ સ્‍પીકરથી અજાન પર પ્રતિબંધ કાનૂની છે. માનવ અવાજમાં મસ્‍જિદોમાંથી  અજાન આપી શકાય છે.

Related posts

કેન્દ્ર સરકારે  કોરોના અંગેના દરેક પ્રતિબંધોને હટાવવાનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટીને નીતિન નબીનના રૂપમાં નવા અધ્‍યક્ષ બન્યા

Ahmedabad Samay

૧૪ જાન્યુઆરીએ વિદ્યુત જામવાલ-શ્રુતિ હાસન અભિનીત ફિલ્મ પાવર રિલીઝ થશે

Ahmedabad Samay

પશુપાલક માટે સારા સમાચાર,પાક વીમા પછી કેન્‍દ્ર સરકાર યુનિવર્સલ પશુધન વીમા યોજના લાવવાની તૈયારી શરૂ

Ahmedabad Samay

ટીવી ઈન્ડસ્ટ્રીના અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની વયે નિધન

Ahmedabad Samay

બજેટ હાઇલાઇટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો