May 7, 2026
જીવનશૈલી

મગજની શક્તિ નું રહસ્ય ” મગજ ની શક્તિ” ( પ્રવક્તા અને લેખક : વિજય કોતાપકર)

                           મગજ ની શક્તિ

મિત્રો લક્ષ્ય વિનાનું જીવન એક સમુદ્ર માં તરતા વહાણ જેવું છે. જેમાં દિશા સૂચક યંત્ર એટલે કે હોકા યંત્ર નથી. તો કઈ દિશા તરફ આગળ વધવું છે. તેની એણે જાણ નથી હોતી. એટલે આમતેમ જોયા કરે છે. એ વહાણ કે મારે ક્યાં જવું છે.બસ આ શરીર અને મસ્તિષ્ક પણ એક લક્ષ્ય માંગે છે. જેમ કોઈ બ્રિજ નો વિચાર પહેલા મસ્તિષ્ક માં બને પછી ઓનપેપર પ્રોજેક્ટ બને . અને પછી તે
વાસ્તવિક માં બને અને પરિણામ તેનું બધા લોકો ને એક નદી ઓળંગીને ને જવાનું હોય છે. અને બધા પોતાના નિર્ધારિત સ્થાન પર પહોંચે છે.
તેવી રીતે જીવન નો બ્રિજ પર પેપર પર જે લોકો લખે છે તેજ લક્ષ્ય સુધી પહોંચે છે.આપણા જીવન ના અનુભવ કોઈ સ્થળે ફરવા જવું હોય તો પહેલાં વિચાર આવે છે.
પછી યોજના સમય ની નિશ્ચિત થાય છે પછી ધન નું આયોજન અને જવા આવાની વ્યવસ્થા જાય છે. અને છેવટે આપણે ત્યાં પહોંચી ને આનંદ ની સુખ ની અનુભૂતિ એટલા માટે કરીએ છીએ કે આપણે વ્યસ્થા પૂર્ણ રીતે કરેલી છે.

પણ જીવન માટે કેટલા આયોજન કર્યા ?
પોતાના વિચારો માટે ?
પોતાની ઉત્તમ જીવન શૈલી માટે ?
પોતાની પાસે કેટલું નોલેજ હોય શકે એની માટે?
પોતાની પાસે અધિક માં અધિક ધન હોય શકે તેની માટે?
પોતાના સંબંધો બીજા સાથે સારા રહે એની માટે ?
પોતાની સમાજ પ્રત્યે ની સેવા ની ભૂમિકા માટે ?
શું કોઈ લક્ષ્ય પેપર પર છે?

જો નથી તો એવો કોઈ સંદેશ આપને પરમાત્મા ને નથી મોકલ્યો હજી સુધી કે લેખિત માં કે મારી જીવન શૈલી આ પ્રમાણે ની હશે.અને કાર,મકાન,પ્રોપર્ટી,જનમ મરણ ના દાખલા, બેંક બેલેન્સ ,વ્યાપાર નો હિસાબ કિતાબ,અહીંયા સુધી પ્રસંગો માં બોલવા માટે લોકો ની યાદી,પ્રસંગો ના હિસાબ કિતાબ ,ધન ,સંપત્તિ આ બધી વસ્તુ પણ આ બધું જો લેખિત માં રેકોર્ડ જો છે.

તો પછી લક્ષ્ય કેમ લેખિત માં નથી? જનમ થયેલો ત્યારે ૬ દિવસે વિધાતા લેખ તથાસ્તુ લખી ને ચાલ્યા ગયા. જે વિચારીશ તેવો બનીશ.
તો શું બનવા માટે શું લખયું?
કે વિધાતા ના લેખ સાચા પડે ?

પ્રવક્તા અને લેખક : વિજય કોતાપકર.

વધુ વાંચવા અહીં ક્લિક કરો.

Related posts

આવો જાણીએ નાનું દેખાતું ફળ આમળા ખાવાથી થતા મોટા ફાયદા

Ahmedabad Samay

પનીર ઉપરાંત ઘણા પૌષ્ટિક વેજિટેરિયન ફૂડ્સ છે, જેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે

Ahmedabad Samay

નાના બાળકોને પોતાની સાથે અથવા અલગ પલંગ પર સુવડાવવું યોગ્‍ય છે કે કેમ ?

Ahmedabad Samay

સૂર્ય-શનિ સામસામે આવી રહ્યા છે, બની રહ્યો છે ખતરનાક યોગ, આ રાશિના લોકો રહે સાવધાન

Ahmedabad Samay

અનંત અંબાણીના લગ્નનો કુલ ખર્ચ મુકેશ અંબાણીની કુલ સંપત્તિના માત્ર ૦.૫ % છે

Ahmedabad Samay

લીવરમાં જમા થયેલી ચરબીને ડિટોક્સ કરવામાં મદદરૂપ છે કાચી હળદર, જાણો ક્યારે અને કેવી રીતે તેનું સેવન કરવું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો