March 23, 2026
જીવનશૈલી

મગજની શક્તિ નું રહસ્ય ” મગજ ની શક્તિ” ( પ્રવક્તા અને લેખક : વિજય કોતાપકર)

                           મગજ ની શક્તિ

મિત્રો લક્ષ્ય વિનાનું જીવન એક સમુદ્ર માં તરતા વહાણ જેવું છે. જેમાં દિશા સૂચક યંત્ર એટલે કે હોકા યંત્ર નથી. તો કઈ દિશા તરફ આગળ વધવું છે. તેની એણે જાણ નથી હોતી. એટલે આમતેમ જોયા કરે છે. એ વહાણ કે મારે ક્યાં જવું છે.બસ આ શરીર અને મસ્તિષ્ક પણ એક લક્ષ્ય માંગે છે. જેમ કોઈ બ્રિજ નો વિચાર પહેલા મસ્તિષ્ક માં બને પછી ઓનપેપર પ્રોજેક્ટ બને . અને પછી તે
વાસ્તવિક માં બને અને પરિણામ તેનું બધા લોકો ને એક નદી ઓળંગીને ને જવાનું હોય છે. અને બધા પોતાના નિર્ધારિત સ્થાન પર પહોંચે છે.
તેવી રીતે જીવન નો બ્રિજ પર પેપર પર જે લોકો લખે છે તેજ લક્ષ્ય સુધી પહોંચે છે.આપણા જીવન ના અનુભવ કોઈ સ્થળે ફરવા જવું હોય તો પહેલાં વિચાર આવે છે.
પછી યોજના સમય ની નિશ્ચિત થાય છે પછી ધન નું આયોજન અને જવા આવાની વ્યવસ્થા જાય છે. અને છેવટે આપણે ત્યાં પહોંચી ને આનંદ ની સુખ ની અનુભૂતિ એટલા માટે કરીએ છીએ કે આપણે વ્યસ્થા પૂર્ણ રીતે કરેલી છે.

પણ જીવન માટે કેટલા આયોજન કર્યા ?
પોતાના વિચારો માટે ?
પોતાની ઉત્તમ જીવન શૈલી માટે ?
પોતાની પાસે કેટલું નોલેજ હોય શકે એની માટે?
પોતાની પાસે અધિક માં અધિક ધન હોય શકે તેની માટે?
પોતાના સંબંધો બીજા સાથે સારા રહે એની માટે ?
પોતાની સમાજ પ્રત્યે ની સેવા ની ભૂમિકા માટે ?
શું કોઈ લક્ષ્ય પેપર પર છે?

જો નથી તો એવો કોઈ સંદેશ આપને પરમાત્મા ને નથી મોકલ્યો હજી સુધી કે લેખિત માં કે મારી જીવન શૈલી આ પ્રમાણે ની હશે.અને કાર,મકાન,પ્રોપર્ટી,જનમ મરણ ના દાખલા, બેંક બેલેન્સ ,વ્યાપાર નો હિસાબ કિતાબ,અહીંયા સુધી પ્રસંગો માં બોલવા માટે લોકો ની યાદી,પ્રસંગો ના હિસાબ કિતાબ ,ધન ,સંપત્તિ આ બધી વસ્તુ પણ આ બધું જો લેખિત માં રેકોર્ડ જો છે.

તો પછી લક્ષ્ય કેમ લેખિત માં નથી? જનમ થયેલો ત્યારે ૬ દિવસે વિધાતા લેખ તથાસ્તુ લખી ને ચાલ્યા ગયા. જે વિચારીશ તેવો બનીશ.
તો શું બનવા માટે શું લખયું?
કે વિધાતા ના લેખ સાચા પડે ?

પ્રવક્તા અને લેખક : વિજય કોતાપકર.

વધુ વાંચવા અહીં ક્લિક કરો.

Related posts

IIT દિલ્હીએ બનાવ્યું શાકાહારી માસ

Ahmedabad Samay

આવી રીતે જાણો આપણી ઇમ્યુનિટી સારી છે કે ખરાબ અને એના ઉપાય

Ahmedabad Samay

ઈંડા ખાવાથી પણ ઘટાડી શકાય છે વજન, બસ આ 3 વસ્તુઓને મિક્સ કરો

Ahmedabad Samay

આ 4 કારણોથી સવારે ઉઠ્યા બાદ પીવો એપલ જ્યુસ, જીવનશૈલી સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ દૂર રહેશે

Ahmedabad Samay

ગુરુવારથી દીપોત્‍સવી પર્વની રોનક શરૂ થઇ જશે

Ahmedabad Samay

જો તમે રોજ સવારે ચા પીવો છો તો તેમાં આ એક વસ્તુ આજથી ઉમેરી ચા પીવો,તમારા પાચનતંત્ર સહિતની આખા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો