June 24, 2026
ગુજરાત

C.M વિજય રૂપાણી : લોકડાઉન-૪.૦ મંગળવારથી નવા નિયમો સાથે લાગુ.

દેશભરમાં આજે લોકડાઉન-૩ના અંતિમ દિવસે લોકડાઉન-૪ની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને હળવા નવા નિયમો અમલી કરવા માટે મંજુરી  આપી છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા નિયમો લાગૂ  કરાશે તે અંગે ૧૮મી એ જાહેરાત કરાશે આ અંગે  આવતીકાલે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ચર્ચા  કરવામાં આવશે.

આ અંગે નિર્ણય કરવા સાંજે પાંચ વાગ્યાથી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈલેવલ કોર કમિટિની બેઠક મળી હતી પરંતુ કોઇ નિર્ણય લેવાયો ન હતો. ગુજરાતમાં આજે લૉકડાઉન-૩.૦નો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી લૉકડાઉન ૪.૦નો પ્રારંભ થશે.

નવા નિયમોમાં કન્ટેઈન્મેન્ટ અને નોન કન્ટેઈન્મેન્ટ ઝોનના આધારે છૂટછાટ આપવામાં આવશે. નવા નોટિફિકેશનનો અમલ ૧૯મેથી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ વિજય રૂપાણી એ જણાવ્યું હતું કે માસ્ક નહીં પહેર્યું હોય તેને સમગ્ર ગુજરાતમાં રૂ.૨૦૦નો દંડ ફટકારવામાં આવશે. બાઈક ચાલકો અને રિક્ષા ચાલકોને છૂટ આપવામાં આવશે.

કચ્છમાં કોરોનાના એકસાથે ૧૪ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને કારણે સમગ્ર જિલ્લાની જનતામાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગુજરાત સરકારના અધિકારીઓ અમદાવાદમાં પણ ૩૧ મે સુધી લોકડાઉન લંબાવવાના મૂડમાં છે. ૩૧મે સુધી ના લંબાવી શકાય તો ૨૫ મે સુધી તો કરવાનીતૈયારી છે. આ અંગે ટૂંક સમયમાં સરકાર નિર્ણય લેશે. જ્યારે ૨૧ દિવસની કન્ટેઈન્મેન્ટ ઝોનની સમીક્ષા ૨૪મેના રોજ કરવામાં આવશે, એટલે કે ૨૫મીએ ઈદ પુરી કરીને લોકડાઉન ખોલવામાં આવી શકે છે.

Related posts

પોરબંદરના સાગરમાં કોસ્ટગાર્ડ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ કવાયત : પ્રદૂષણ પ્રતિભાવ સાધનોનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

સરકાર ૧૮ જેટલા આંદોલનના ચક્રવ્‍યૂહમાં ઘેરાયેલી જોવા મળી રહી છે.

Ahmedabad Samay

આ મંગળવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાહેર જનતા માટે ફરી શરૂ થશે

Ahmedabad Samay

ગુજરાતમાં 18થી 20 માર્ચ સુધીમાં ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

હવે પોલીસ જો તમે હેલ્મેટ વગર પકડાશો તો દંડ કરવાને બદલે તમને ગુલાબ આપશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો