June 25, 2026
ગુજરાતદેશ

સટ્ટા બજારમાં નવો ટ્રેન્ડ, હવે કોરોના કેસ પર સટ્ટો

કોરોના વાયરસ હવે સટ્ટેબાજોનું નવો ફેવરિટ વિષય બની ગયો છે. લગભગ અડધા સટ્ટેબાજ માત્ર કોરોના પર સટ્ટો લગાવી રહ્યા છે. આ સાથે જ કોરોના પર કયા નેતા શું નિવેદન  આપશે. તેના પર પણ સટ્ટેબાજ ખૂબ જ સટ્ટો લગાવી રહ્યા છે. મોટાભાગની ગેમ્સ પ્રતિયોગિતા બંધ હોવાને કારણે સટ્ટેબાજ હવે નાની ગેમ્સ પર દાવ લગાવી  રહ્યા છે.

કોરોના પર સટ્ટો, આ નવો ટ્રેન્ડ સટ્ટેબાજોમાં ચાલી રહ્યો છે. કેટલીક ગેરકાયદેસર ગેમ્બલિંગ સાઈટ્સ આ અંગે સટ્ટો લગાવી રહી છે. તેમાં એક દિવસમાં કેટલા લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવશે તેના આંકડા પર સટ્ટો લગાવી રહ્યા છે. આ સાઈટ્સ પર દ્યણા બધા ઓપ્શન્સ પણ આપવામાં આવી રહ્યા  છે, જેમકે કોરોના વાયરસના આંકડા પર સટ્ટો લગાવી શકાય, તેમજ કોરોના વાયરસના દર્દીઓનો આંકડો અગાઉના દિવસ કરતા વધારે રહેશે કે ઓછો રહેશે વગેરે ઓપ્શન આપવામાં આવે છે.                                                  કોરોના વાયરસના લોકડાઉનના આ સમયમાં દુનિયાભરમાં સટ્ટાની સંખ્યામાં ખૂબ જ વધારો નોંધાયો છે. હાલના લોકડાઉનના આ સમયમાં સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા સહિતના વિવિધ દેશોમાં સટ્ટાની સંખ્યામાં રેગ્યુલર સમય કરતા પણ વધારો નોંધાયો  છે. આ અંગે મનોચિકિત્સકોનું કહેવું છે કે, લોકડાઉનના આ સમયમાં કોઈ દારૂડિયાને વ્હિસ્કીના મળે તો સસ્તો દારૂ પણ પી લે છે, તેમ સટ્ટેબાજો હાલ  બધી જ ગેમ્સ બંધ હોવાને કારણે કોરોના વાયરસ પર સટ્ટો લગાવી રહ્યા છે.

Related posts

કૃષ્ણનગર વોર્ડમાં ભાજપના મહિલા કોર્પોરેટર વિરુદ્ધ વિરોધ

Ahmedabad Samay

નક્સલિયો સાથેની અથડામણમાં 22 જવાનો શહિદ ,હુમલાને લઈને અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

Ahmedabad Samay

ઉમણીયાવદર ગામના યુવાન પર ત્રણ શખ્સોએ કર્યો તલવાર વડે હુમલો

Ahmedabad Samay

અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાની યોજાઇ મહત્વની બેઠક

Ahmedabad Samay

૭૭ વર્ષીય નટુકાકા તરીકે વિખ્યાત એક્ટર ઘનશ્યામ નાયક કેન્સરની બીમારીના કારણે આજે અવસાન થયું છે.

Ahmedabad Samay

વિષ્‍ણુદેવ સાંઈ ૧૩ ડિસેમ્‍બરે છત્તીસગઢના મુખ્‍યમંત્રી પદ તરીકેના શપથ લેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો