January 25, 2025
ગુજરાત

ચોટીલા રોપ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ મહત્વની સુનાવણી, રોપ-વે બનાવવાનો માર્ગ બન્યો મોકળો

ચોટીલામાં રોપ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલ મામલે આજે કોર્ટે સુનાવણી દરમિયાન આ અરજીને ફગાવી દીધી છે.  આઉટડેટેડ ટેકનોલોજીવાળા રોપવેને મંજૂરી મામલે પણ અરદારે અગાઉ કરાયેલી અરજીમાં ઉલ્લેખ કરરતા રજૂઆત કરી હતી. ત્યારે આ મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી.

  • ચોટીલા રોપ વે મામલે ગુજરાત રાઈકોર્ટમાં સુનાવણી
  • ગુજરાત હાઈકોર્ટે અરજદારની તમામ અરજીઓ ફગાવી
  • રોક લગાવવાની માગ સાથેની અરજી ફગાવી
  • ચોટીલામાં રોપ વે પ્રોજેક્ટનો માર્ગ મોકળો

ચોટીલા રોપ વે મામલે ગુજરાત રાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે અરજદારની તમામ અરજીઓ ફગાવી દીધી હતી. રોપ વેનું કામ આપનાપને કોઈ અનુભવ ન હોવાની અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રોપ વે લગાવવાની માગ સાથેની અરજી ફગાવી દીધી છે. જેથી હવે ચોટીલામાં રોપ વે પ્રોજેક્ટનો માર્ગ મોકળો બન્યો છે.

અરજદાર દ્વારા અગાઉ અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, આુટડેટે ટેકનોલોજીવાળા રોપ-વેને મંજૂરી સામે દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. ચોટીલા ડુંગર પર તૈયાર થઈ રહેલા રોપ વે પ્રોજેક્ટને લઈને અરજદારે સવાલ ઉઠાવ્યા હતા ત્યારે યાત્રાધામ ચોટીલા રોપ વે વિવાદ મામલે થયેલી અરજી બાદ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આજે આપ્યો હતો. હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવતા ચોટીલામાં રોપ-વે બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે.

Related posts

સુરત: નિવૃત્ત મામલતદારના ઘરે સાફ-સફાઈ કરવા આવેલી બે મહિલા ઘરઘાટીએ પહેલા જ દિવસે હાથ સાફ કર્યો, 7.80 લાખના દાગીના લઈ ફરાર થઈ

Ahmedabad Samay

અમદાવાદ: જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈને છરીના 24 ઘા મારી હત્યા કરનાર પિતા, બે પુત્ર, જમાઇ સહિત કુલ 5ને આજીવન કેદની સજા

Ahmedabad Samay

૨૧થી ધો.૦૯ થી ૧૨ માટે સ્કૂલો ખુલશે, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી શાળાઓ ફરીથી ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે.

Ahmedabad Samay

ભાજપ અને કોંગ્રેસ ભાડા મુદ્દે લડતી રહી અને NCP ના મહામંત્રી નિકુલસિંહ તોમર એ પરપ્રાંતીઓ માટે નિઃશુલ્ક બસની સુવિધા કરી પ્રવાસીઓ ને રવાન કર્યા

Ahmedabad Samay

રાજસ્થાનમાં મુખ્યપ્રધાન નક્કી કરવાનું ભાજપને સૌથી મુશ્કેલ લાગી રહ્યું છે, વસુંધરા રાજે આ પદના પ્રબળ દાવેદાર

Ahmedabad Samay

અંતરીક્ષમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ધરતીપર સુરક્ષિત અને વહેલા પરત ફરે તેમાટે માનવ અધિકાર ગ્રુપ દ્વારા સર્વે ધર્મ પ્રાથના સભા યોજવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો