March 26, 2026
ગુજરાત

પાલીતાણા, સાળંગપુર  સોમનાથ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, વડનગર, નડાબેટ અને નાથદ્વારા જેવા ધાર્મિક સ્થળ માટે ચાર્ટડ ફ્લાઇટ શરૂ કરાઇ

અમદાવાદ સ્‍થિત એર ચાર્ટર કંપનીએ ગુજરાત અને તેની આસપાસના ધાર્મિક અને  જોવાલાયક સ્‍થળો માટે સેવાઓની જાહેરાત કરી છે. કંપની એરોટ્રાન્‍સ સર્વિસે જણાવ્‍યું છે કે તે ધોરડોમાં રણ ઉત્‍સવમાં હેલિકોપ્‍ટર જોયરાઇડ્‍સ પણ શરૂ કરશે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે પ્રથમ તબક્કામાં પાલીતાણા, સાળંગપુર  સોમનાથ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, વડનગર, નડાબેટ અને નાથદ્વારા માટે ચાર અને છ-સીટર પ્‍લેનમાં રાઉન્‍ડ ટ્રીપ્‍સ શરૂ કરવામાં આવશે.

નાથદ્વારા જવાનો વન-વે સમય ૧ કલાક ૨૫ મિનિટ, પાલિતાણા માટે ૧ કલાક ૧૦ મિનિટ,  સાળંગપુર માટે ૫૦ મિનિટ, સોમનાથ માટે ૧ કલાક ૩૫ મિનિટ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી માટે ૧ કલાક, વડનગર માટે ૩૦ મિનિટ અને નડાબેટ માટે ૫૫ મિનિટનો રહેશે.

કંપની હેલિપેડ પર અને ત્‍યાંથી કાર સેવાઓ પણ આપશે. બીજા તબક્કામાં, વધારાના સ્‍થળો ઉમેરવામાં આવશે જેની મુલાકાત વિમાનો તેમજ હેલિકોપ્‍ટરમાં કરવામાં આવશે.

Related posts

થલતેજના દંપતિના ઘરે ફર્નિચરનુ કામ કરનાર જ માસ્ટર માઈન્ડ નીકળ્યો

Ahmedabad Samay

અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રેલીમાં દેખાયા માસ્ક વગર

Ahmedabad Samay

સ્વધા સોસિયલ ફાઉન્ડેશન દ્વારા ધો.૧૦ તથા ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો ભય દૂર કરવા અને કેરિયર માર્ગદર્શન માટે આજ રોજ ચાંદખેડામાં સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ગુજરાત સરકાર દ્વારા મોબાઇલ એપ્લિકેશન દ્વારા દારૂની પરમિટ ઇશ્યૂ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

અમદાવાદ – મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ઠગાઈની ફરિયાદ

admin

સરસપુર વિસ્તારમાં બે મસ્જિદમા અજાણ્યા માણસો છુપાયાનો મેસેજ મળતા દોડધામ મચી ગઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો