June 25, 2026
ગુજરાત

પાલીતાણા, સાળંગપુર  સોમનાથ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, વડનગર, નડાબેટ અને નાથદ્વારા જેવા ધાર્મિક સ્થળ માટે ચાર્ટડ ફ્લાઇટ શરૂ કરાઇ

અમદાવાદ સ્‍થિત એર ચાર્ટર કંપનીએ ગુજરાત અને તેની આસપાસના ધાર્મિક અને  જોવાલાયક સ્‍થળો માટે સેવાઓની જાહેરાત કરી છે. કંપની એરોટ્રાન્‍સ સર્વિસે જણાવ્‍યું છે કે તે ધોરડોમાં રણ ઉત્‍સવમાં હેલિકોપ્‍ટર જોયરાઇડ્‍સ પણ શરૂ કરશે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે પ્રથમ તબક્કામાં પાલીતાણા, સાળંગપુર  સોમનાથ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, વડનગર, નડાબેટ અને નાથદ્વારા માટે ચાર અને છ-સીટર પ્‍લેનમાં રાઉન્‍ડ ટ્રીપ્‍સ શરૂ કરવામાં આવશે.

નાથદ્વારા જવાનો વન-વે સમય ૧ કલાક ૨૫ મિનિટ, પાલિતાણા માટે ૧ કલાક ૧૦ મિનિટ,  સાળંગપુર માટે ૫૦ મિનિટ, સોમનાથ માટે ૧ કલાક ૩૫ મિનિટ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી માટે ૧ કલાક, વડનગર માટે ૩૦ મિનિટ અને નડાબેટ માટે ૫૫ મિનિટનો રહેશે.

કંપની હેલિપેડ પર અને ત્‍યાંથી કાર સેવાઓ પણ આપશે. બીજા તબક્કામાં, વધારાના સ્‍થળો ઉમેરવામાં આવશે જેની મુલાકાત વિમાનો તેમજ હેલિકોપ્‍ટરમાં કરવામાં આવશે.

Related posts

અમદાવાદની નરોડા ખાતે આવેલ ખારીકટ કેનાલનું ફેઝ વનનું કામ પૂર્ણતાના આરે

Ahmedabad Samay

વેસ્ટર્ન રેલ્વેના અમદાવાદ વિભાગમાં પ્રથમ 4 માર્ગીય રેલ્વે ટ્રેક બનશે, કેન્દ્ર 1571 કરોડ ફાળવશે

Ahmedabad Samay

આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજવા માં આવ્યું

Ahmedabad Samay

કોરોના ધીમો પડતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાત્રી કરફ્યુ ૧૦ વાગ્યા થી કરવા સૂચન કરાયું

Ahmedabad Samay

મનનાં વિચારો થી પણ કોરોનાને હરાવી શકોછો : વિજય કોતાપકર(મોટિવેશન સ્પીકર)

Ahmedabad Samay

શેરીટ અને ઝેન્ડર ના વિકલ્પમાં વાપરો આ એપ્લિકેશન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો