અમદાવાદ સ્થિત એર ચાર્ટર કંપનીએ ગુજરાત અને તેની આસપાસના ધાર્મિક અને જોવાલાયક સ્થળો માટે સેવાઓની જાહેરાત કરી છે. કંપની એરોટ્રાન્સ સર્વિસે જણાવ્યું છે કે તે ધોરડોમાં રણ ઉત્સવમાં હેલિકોપ્ટર જોયરાઇડ્સ પણ શરૂ કરશે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં પાલીતાણા, સાળંગપુર સોમનાથ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડનગર, નડાબેટ અને નાથદ્વારા માટે ચાર અને છ-સીટર પ્લેનમાં રાઉન્ડ ટ્રીપ્સ શરૂ કરવામાં આવશે.
નાથદ્વારા જવાનો વન-વે સમય ૧ કલાક ૨૫ મિનિટ, પાલિતાણા માટે ૧ કલાક ૧૦ મિનિટ, સાળંગપુર માટે ૫૦ મિનિટ, સોમનાથ માટે ૧ કલાક ૩૫ મિનિટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ૧ કલાક, વડનગર માટે ૩૦ મિનિટ અને નડાબેટ માટે ૫૫ મિનિટનો રહેશે.
કંપની હેલિપેડ પર અને ત્યાંથી કાર સેવાઓ પણ આપશે. બીજા તબક્કામાં, વધારાના સ્થળો ઉમેરવામાં આવશે જેની મુલાકાત વિમાનો તેમજ હેલિકોપ્ટરમાં કરવામાં આવશે.
