May 9, 2026
ગુજરાત

વાઇબ્રન્ટ ઉત્સવથી કેટલા લોકોને રોજગારી મળી તે જાહેર કરો:ડો. મનીષ દોશી

પીરીયોડીક લેબર ફોર્સ સર્વેના આધારે રોજગારના મોટા દાવા કરીને રોજગારીમાં ગુલાબી ચિત્ર રજુ કરનાર ભાજપા સરકારમાં હિંમત હોય તો ગુજરાતમાં સરકારી અને ખાનગી રોજગારી, વાયબ્રન્ટ ઉત્સવોના અબજો રૂપિયાના મુડીરોકાણ સામે લાખો રોજગારીના દાવાની હકિકતો જાહેર કરે તેવી માંગ કરતા ગુજરાત કોંગ્રેસ સમિતિના મુખ્ય  પ્રવકતા ડો.  મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પીરીયોડીક લેબર ફોર્સ સર્વે જુલાઈ-૨૦૧૮ થી જુલાઈ-૨૦૧૯ સમયા ગાળાના સમગ્રદેશમાં ૧,૦૧,૫૭૯ હાઉસહોલ્ડમાં  ૪,૨૦,૭૫૭ નાગરિકોનો સર્વેમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં ગ્રામીણ  વિસ્તારના ૫૫,૮૧૨ હાઉસ હોલ્ડના ૨,૩૯,૮૧૭ નાગરિકો જયારે ૪૫,૭૬૭ કનિદૈ લાકિઅ હાઉસહોલ્ડના ૧,૮૦,૯૪૦ નાગરિકો સમાવેશ કરવામાં આવ્યો છે.

સમગ્ર દેશના ૧૩૫ કરોડ નાગરિકોમાંથી માત્ર ૪,૨૦,૭૫૭ નાગરિકોની સેમ્પલ સાઈજ  જે માત્ર શ્રમિકો માટેની અને છતાં સરકાર રોજગારીના મોટા દાવા કરે તે કેટલે અંશે વ્યાજબી ? સમગ્ર સર્વે શ્રમિકોને લદ્યુત્ત્મ રોજગારીનો સેમ્પલ સર્વે હોય ત્યાં રોજગારીમાં અવ્વલ નંબરના દાવા કેટલે અંશે વ્યાજબી ? પીરીયોડીક લેબર ફોર્સ સર્વેમાં સમગ્ર દેશમાં માત્ર ૧૨,૮૦૦ ગામનો સેમ્પલ  સાઈજ,

ગુજરાતમાંથી માત્ર ૪૪૦ સેમ્પલ નો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ૨૦૮ અને શહેરી વિસ્તાર ૨૩૨ સેમ્પલ ગણત્રીમાં લેવાયા છે. એટલે કે પીરીયોડીક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ) માં સમગ્રદેશમાં માત્ર ૧.૬ ટકા સેમ્પલ સાઈજ અને ગુજરાતની માત્ર ૨.૩ ટકા સેમ્પલ સાઈજ સમાવેશ થાય છે.

નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન (એએસએસઓ) ના સંપુર્ણ અહેવાલમાં સમગ્ર દેશમાં ૪૫ વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારીનો દર મોદી શાસનમાં છે જે ભાજપ સરકાર – મોદી શાસનની દેશ અને ગુજરાતના નાગરિકોને ભેટ છે વાયબ્રન્ટ ઉત્સવોના નામે અબજો રૂપિયાનું મુડી રોકાણ અને લાખો રોજગારના દાવાનો પરપોટો ફુટી ગયો છે. તેમ ડો. મનીષ દોશી જણાવે છે. (૯.૬)

Related posts

AMCનાં 30 કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત મંત્રી જગદીશ વિશ્વકર્માએ કર્યું

Ahmedabad Samay

મહિલા ઉન્નતિ સંસ્થા દ્વારા તેમનો પાંચમો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો.

Ahmedabad Samay

પરિણીતાએ પ્રેમી યુવક પર જ ઘરમાં બળજબરી ઘુસીને બળાત્કારનાં પ્રયાસનો ગુનો દાખલ કર્યો

Ahmedabad Samay

૨૦૧૦ પહેલાં ઇસ્યુ થયું હોય તો લાયસન્સ રિન્યુ કરાવવા કે ડુપ્લીકેટ માટે આરટીઓ સુધી નહીં જવું પડે

Ahmedabad Samay

અમદાવાદ – રાત્રિ દરમિયાન પોલીસે દારુ, ડ્રગ્સ મામલે સિંધુભવન રોડ, થલતેજ અને એસજી હાઈવે પર ઓપરેશન હાથ ધર્યું

Ahmedabad Samay

સરકાર ૧૨ ધો. પરીક્ષા લેવાની ફિરાકમાં,જો ધો.૧૨ ની પરીક્ષા લેવાશે તો બાળકોમાં સંક્રમણ વધવાનો ખતરો રહેશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો