June 23, 2026
ગુજરાત

નવા ૧૬ જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લેવાઈ રહેલા પગલાઓની સમીક્ષા માટે અધિક મુખ્ય સચિવ ડૉ રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચા વિચારણા કરીને ૧૬ નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા, જ્યારે જૂના ૦૮ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવાનો મહત્વ નો નિર્ણય કરવામાં આવ્યો છે.

જુના માઈક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરવામાં આવેલા વિસ્તારોની યાદી
→ લાંભા, કર્ણાવતી-૦૨ના ૨૦ મકાન
→ અમરાઈવાડી, બંગલાવાળી ચાલીના ૩૫ મકાન
→ ભાઈપુરા, નીલકંઠનગર સોસાયટીના ૪૮ મકાન
→ શાહીબાગ, બાવાના ડહેલાના ૩૦ મકાન
→ શાહીબાગ, શત્રુંજય એપાર્ટમેન્ટના ૧૬ મકાન
→ વાસણા, રિવરસાઈડ પાર્કના ૪૦ મકાન
→ પાલડી, યોગેશ્વરનગર સોસાયટીના ૫૦ મકાન
→ જીવરાજ પાર્ક, દેસાઈ પાર્કના ૦૩ મકાન

આ સિવાય નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવતા શહેરના વધુ ૧૬ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

જાહેર કરવામાં આવેલ નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારની યાદી

→ ઘાટલોડિયા, સ્વામી અખંડઆનંદ સોસાયટીના ૧૫ મકાન
→ બોડકદેવ, ઝોડિયાક એસ્ટર ફ્લેટના ૧૨ મકાન
→ મણિનગર, જય અંબે એપાર્ટમેન્ટના ૨૦ મકાન
→ લાંભા, પાર્વતીનગરના ૨૦ મકાન
→ ઈન્દ્રપુરી, બ્રહ્માણી પાર્ક સોસાયટીના ૦૬ મકાન
→ સૈજપુર-બોઘા, રાધેશ્યામ એપાર્ટમેન્ટના ૧૪ મકાન
→ નિકોલ, સૂર્યમ ફ્લોરાના ૧૫ મકાન
→ ઓઢવ, ભરવાડ વાસના ૨૦ મકાન
→ ઉસ્માનપુરા, નાયક નગરના ૭૬ મકાન
→ સાબરમતી, શીતલકુંજના ૫૨ મકાન
→ સાબરમતી, વિઠ્ઠલ સ્ક્વેરના ૦૭ મકાન
→ નારણપુરા, પંચવટી એપાર્ટમેન્ટના ૦૪ મકાન
→ ચાંદખેડા, પ્રસંદનગરના ૧૩ મકાન
→ બોપલ, કમલાપાર્કના ૧૪ મકાન
→ વેજલપુર, સ્વરીત એપાર્ટમેન્ટના ૮ મકાન

આમ આ નવા જાહેર કરાયેલા ૧૬ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં AMCના હેલ્થ વિભાગ દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૧૧૦ જેટલા નવા પોઝિટિવ કેસ સામે આવ્યા

Related posts

ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની-લેબ બનાવી મેથા મ્ફેટામાઇન ડ્રગ્સનું ઉત્પાદન કરનાર ડ્રગ્સની ફેકટરી પકડી

Ahmedabad Samay

અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે મોક ડ્રિલ યોજાઈ

Ahmedabad Samay

૪ વર્ષ જુના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને ૨ વર્ષની સજા સંભળાવી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીયો ને શહેર છોડી ન જવા અપીલ કરાઇ, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

Ahmedabad Samay

અમદાવાદ: તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપશે, જાણો કેવી રીતે થશે આયોજન?

Ahmedabad Samay

3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાની શક્યતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો