June 23, 2026
ગુજરાત

નવા ૧૬ જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લેવાઈ રહેલા પગલાઓની સમીક્ષા માટે અધિક મુખ્ય સચિવ ડૉ રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચા વિચારણા કરીને ૧૬ નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા, જ્યારે જૂના ૦૮ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવાનો મહત્વ નો નિર્ણય કરવામાં આવ્યો છે.

જુના માઈક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરવામાં આવેલા વિસ્તારોની યાદી
→ લાંભા, કર્ણાવતી-૦૨ના ૨૦ મકાન
→ અમરાઈવાડી, બંગલાવાળી ચાલીના ૩૫ મકાન
→ ભાઈપુરા, નીલકંઠનગર સોસાયટીના ૪૮ મકાન
→ શાહીબાગ, બાવાના ડહેલાના ૩૦ મકાન
→ શાહીબાગ, શત્રુંજય એપાર્ટમેન્ટના ૧૬ મકાન
→ વાસણા, રિવરસાઈડ પાર્કના ૪૦ મકાન
→ પાલડી, યોગેશ્વરનગર સોસાયટીના ૫૦ મકાન
→ જીવરાજ પાર્ક, દેસાઈ પાર્કના ૦૩ મકાન

આ સિવાય નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવતા શહેરના વધુ ૧૬ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

જાહેર કરવામાં આવેલ નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારની યાદી

→ ઘાટલોડિયા, સ્વામી અખંડઆનંદ સોસાયટીના ૧૫ મકાન
→ બોડકદેવ, ઝોડિયાક એસ્ટર ફ્લેટના ૧૨ મકાન
→ મણિનગર, જય અંબે એપાર્ટમેન્ટના ૨૦ મકાન
→ લાંભા, પાર્વતીનગરના ૨૦ મકાન
→ ઈન્દ્રપુરી, બ્રહ્માણી પાર્ક સોસાયટીના ૦૬ મકાન
→ સૈજપુર-બોઘા, રાધેશ્યામ એપાર્ટમેન્ટના ૧૪ મકાન
→ નિકોલ, સૂર્યમ ફ્લોરાના ૧૫ મકાન
→ ઓઢવ, ભરવાડ વાસના ૨૦ મકાન
→ ઉસ્માનપુરા, નાયક નગરના ૭૬ મકાન
→ સાબરમતી, શીતલકુંજના ૫૨ મકાન
→ સાબરમતી, વિઠ્ઠલ સ્ક્વેરના ૦૭ મકાન
→ નારણપુરા, પંચવટી એપાર્ટમેન્ટના ૦૪ મકાન
→ ચાંદખેડા, પ્રસંદનગરના ૧૩ મકાન
→ બોપલ, કમલાપાર્કના ૧૪ મકાન
→ વેજલપુર, સ્વરીત એપાર્ટમેન્ટના ૮ મકાન

આમ આ નવા જાહેર કરાયેલા ૧૬ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં AMCના હેલ્થ વિભાગ દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૧૧૦ જેટલા નવા પોઝિટિવ કેસ સામે આવ્યા

Related posts

દેવ પંદિરકરે ઇન્ટરનેશનલ ડ્રોઈંગ કોમ્પિટિશન માં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા બાપુનગરના ઉમેદવાર તરીકે સુરેશ તોમરની પસંદગી કરાઇ.

Ahmedabad Samay

સુરેન્દ્રનગરના દરજી પરિવારના 3 સભ્ય, પતિ, પત્ની અને પુત્રીનાં રાજપર પાસેની કૅનાલમાંથી મૃતદેહ મળી આવતા શોકની લાગણી ફેલાઈ

Ahmedabad Samay

રાજ્યના ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડયો, નવી ગાઇડલાઈન વાંચવાની ન ભૂલતા.

Ahmedabad Samay

ઝૂલતો પુલ દુર્ઘટના : જયસુખ પટેલના વચગાળાના જામીન મામલે બંને પક્ષે દલીલો રજુ કરી, તા. ૦૭ ના રોજ હુકમ કરાશે

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં સીઝનના ત્રણ રાઉન્ડ દરમિયાન 83 ટકા વરસાદ ખાબક્યો, બે ઝોનમાં 100 ટકાથી પણ વધુ વરસાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો