June 24, 2026
ગુજરાત

૦૧ સપ્ટેમ્બર થી શાળા ખોલવા માટે નવી ગાઈડલાઈન જાહેર

શાળાઓ પુનઃ શરૂ કરવા અંગેના ઘટના ક્રમ અંગે સંકાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, એવા રાજ્યો કે જ્યાં કોવિડ-૧૯ના કેસ ઓછા છે તેઓ પુનઃ શાળાઓ શરૂ કરવા માંગે છે અને તેમાં સિનિયર વિદ્યાર્થીઓને લાવવા માગે છે.

માનવ સંસાધન વિભાગ અને આરોગ્ય મંત્રાલયે જે ગાઇડલાઇન્સ તૈયાર કરી છે તેમાં એવી ભલામણ કરવામાં આવશે કે તબક્કાવાર શાળાઓ શરૂ કરવી. પહેલા ૧૫ દિવસ માટે ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને શાળાએ આવવા જણાવવું. વિવિધ સેકશનના કલાસના વિદ્યાર્થીઓને કોઇ ખાસ દિવસે શાળાએ આવવા જણાવવામાં આવશે. એવી સ્કુલ કે જ્યાં ધો. ૧૦ના ૪ વર્ગ હોય તો વર્ગ ‘અ’ અને ‘ક’ ના વિદ્યાર્થીઓને કોઇ ખાસ દિવસે અને બાકીનાને બીજા દિવસે બોલાવવા આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શાળામાં હાજરી આપવાનો સમય પણ ૫ થી ૬ કલાક હોય છે તે ઘટાડીને ૨ થી ૩ કલાક કરવા પણ શાળાઓને જણાવાશે. દરેક શાળાઓને સવારે ૮ થી ૧૧ અને બપોરે ૧૨ થી ૩ આવવાનું જણાવાશે. જેમાં ૧ કલાકનો બ્રેક સેનેટાઇઝર માટે રાખવામાં આવશે. શાળાઓને શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓની ૩૩% ક્ષમતા સાથે કામ કરવા જણાવાશે.

સરકાર પ્રી-પ્રાયમરી અથવા પ્રાયમરી શાળાઓના વિદ્યાર્થીઓને બોલાવાની તરફેણમાં નથી. તેઓને માટે ઓનલાઇન કલાસ જ હાલ તુરંત રહેશે. ધો. ૧૦ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કરાયા બાદ થોડા કલાકો માટે ધો. ૬ થી ૯ના વિદ્યાર્થીઓને બોલાવવાનું જણાવાશે.

Related posts

રવિવાર ના રોજ મોહિની એકાદશી વ્રત છે,જાણો મોહિની વ્રતની મહિમા અને વ્રતના ફાયદા. શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

કોર્પોરેશનની સ્કૂલના વિદ્યાર્થીઓએ હેલિકોપ્ટરમાં બેસીને હેરીટેજ સિટી અમદાવાદનો નજારો માણ્યો

Ahmedabad Samay

ભાઈને પોલીસ પકડી જતા ભાઈને છોડવા બહેનની દબંગાઈ, પોલીસ ચોકી ની ખુરશી તોડી

Ahmedabad Samay

એક તરફ જીગ્નેશ મેવાણી દારૂ બંધી પર આંદોલ ચલાવે ત્યારે સરકાર બીજી તરફ રાજય સરકાર દારૂબંધી હળવી કરવા રાજય સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિર યોજી રહ્યા છે

Ahmedabad Samay

અમદાવાદના ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી જતાં હોટલ હિલ્લોક પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો

Ahmedabad Samay

“આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023” ના વિષય અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.સી.સી. કેડેટ્સ દ્વારા ‘Eat Right Movement’ રેલીનું આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો