February 5, 2026
ગુજરાત

૦૧ સપ્ટેમ્બર થી શાળા ખોલવા માટે નવી ગાઈડલાઈન જાહેર

શાળાઓ પુનઃ શરૂ કરવા અંગેના ઘટના ક્રમ અંગે સંકાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, એવા રાજ્યો કે જ્યાં કોવિડ-૧૯ના કેસ ઓછા છે તેઓ પુનઃ શાળાઓ શરૂ કરવા માંગે છે અને તેમાં સિનિયર વિદ્યાર્થીઓને લાવવા માગે છે.

માનવ સંસાધન વિભાગ અને આરોગ્ય મંત્રાલયે જે ગાઇડલાઇન્સ તૈયાર કરી છે તેમાં એવી ભલામણ કરવામાં આવશે કે તબક્કાવાર શાળાઓ શરૂ કરવી. પહેલા ૧૫ દિવસ માટે ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને શાળાએ આવવા જણાવવું. વિવિધ સેકશનના કલાસના વિદ્યાર્થીઓને કોઇ ખાસ દિવસે શાળાએ આવવા જણાવવામાં આવશે. એવી સ્કુલ કે જ્યાં ધો. ૧૦ના ૪ વર્ગ હોય તો વર્ગ ‘અ’ અને ‘ક’ ના વિદ્યાર્થીઓને કોઇ ખાસ દિવસે અને બાકીનાને બીજા દિવસે બોલાવવા આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શાળામાં હાજરી આપવાનો સમય પણ ૫ થી ૬ કલાક હોય છે તે ઘટાડીને ૨ થી ૩ કલાક કરવા પણ શાળાઓને જણાવાશે. દરેક શાળાઓને સવારે ૮ થી ૧૧ અને બપોરે ૧૨ થી ૩ આવવાનું જણાવાશે. જેમાં ૧ કલાકનો બ્રેક સેનેટાઇઝર માટે રાખવામાં આવશે. શાળાઓને શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓની ૩૩% ક્ષમતા સાથે કામ કરવા જણાવાશે.

સરકાર પ્રી-પ્રાયમરી અથવા પ્રાયમરી શાળાઓના વિદ્યાર્થીઓને બોલાવાની તરફેણમાં નથી. તેઓને માટે ઓનલાઇન કલાસ જ હાલ તુરંત રહેશે. ધો. ૧૦ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કરાયા બાદ થોડા કલાકો માટે ધો. ૬ થી ૯ના વિદ્યાર્થીઓને બોલાવવાનું જણાવાશે.

Related posts

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

શંકાની આડમાં પતિ બહાર જાય તો પત્નીને રસોડામાં પુરી જતો, આખરે કંટાળી વાત પોલીસ સ્ટેશન પહોંચી

Ahmedabad Samay

સમગ્ર દેશના મોસમમાં મોટો ફેરફાર થવાના સંકેતો,ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આગાહી

Ahmedabad Samay

ગુજરાત: 2.5L સિમ રિટેલર્સની ચકાસણી કરવામાં આવશે, સિમના ગેરકાયદેસર વેચાણને રોકવા માટે લેવામાં આવ્યો નિર્ણય

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેશિયા ફ્લેટ ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક કાસ્ય મસાજનું આયોજન

Ahmedabad Samay

વટવા ખાતે નારાયણ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞની ભવ્ય કલશ યાત્રા યોજવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો