મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિ માં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક માં અનલોક ૩ સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સમા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં મંત્રી કૌશિક ભાઈ પટેલ, મંત્રી સૌરભભાઈ પટેલ, રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ. અને મુખ્ય મંત્રીના અગ્રસચિવ મનોજકુમાર દાસ વગેરે હાજર રહ્યા હતા.
રાજય સરકારની ગાઇડલાઇન મુજબ આગામી ૧ ઓગસ્ટથી રાત્રિ કફર્યુ સંપૂર્ણપણે હટાવી લેવામાં આવ્યો છે. તો હોટલ અને રેસ્ટોરન્ટની સમયમર્યાદામાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે. આથી હવે હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત ૫જ્રાક ઓગસ્ટથી જીમ અને યોગ સેન્ટરને ખોલવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે.
૫મી ઓગસ્ટથી જીમ અને યોગ સેન્ટરને ખોલવા માટે પણ મંજૂરી આપવામાં આવી. જયારે કે અન્ય દુકાનો રાબેતા મુજબ રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. ગુજરાત માટે અનલોક – ૩ને લઈ ગાઈડલાઈન જાહેર થઈ છે. ૧ ઓગસ્ટથી રાજયમાં કફર્યુમાંથી મુકિત અપાઈ છે. દુકાનો રાતના ૮ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. હોટલ, રેસ્ટોરન્ટ રાતના ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રહેશે તેમજ ૫ ઓગસ્ટથી રાજયમાં જીમ, યોગ કલાસ ખુલશે.
શૈક્ષણિક સંસ્થાઓ, રાજકીય સમારંભો સિનેગૃહો વગેરે માટેનો પ્રતિબંધ ૩૧ ઓગષ્ટ સુધી યથાવત રહ્યો છે. વાહનોમાં મુસાફરોની સંખ્યા બાબતે સરકારે સ્પષ્ટતા કરી નથી પણ તેમાં છુટછાટની શકયતા છે. નાની કારમાં ૩ મુસાફરોને બેસાડવાની છૂટની સંભાવના છે. અનલોક ૩ નો તા. ૧થી અમલ થશે
