August 7, 2026
ગુજરાતઅપરાધ

કુબેરનગરમાં બિલ્ડીંગ નીચે દટાઈ મૃત્યુ પામેલા પુત્રના પિતાએ એજ સ્થાને આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો

ઓગસ્ટ માસમાં કુબેરનગર ફાટક રોડ પર પ્રેમ માર્કેટ નામની બિલ્ડિંગ એકાએક ધસી પડી હતી. આ ઘટનામાં પ્રેમ ઉર્ફે સોનુ નામના વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું હતું
મૃતકના પરિવારજનોએ દુકાન માલિક પર ગંભીર આરોપ લગાવ્યા હતા કે   જગ્યાનું ગેરકાયદેસર વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ દુકાનદારનું નામ ઘનશ્યામ મેઘરજભાઈ સિંધી છે. ઘનશ્યામ સિંધીએ ટીવીનો શો-રૂમ કરવા માટે 3 દીવાલો તોડી નાંખી હતી. જેથી આ ઘટના બની છે.

આ અંગે  પોલીસ કેસની તપાસ ચાલતી હતી ત્યારે ઘનશ્યામભાઈ, મયુર ટેલર સહિત કેટલાક લોકો પોલીસ કેસ ન થાય તે માટે ધમકી આપતાં હતા જો કે આ ધમકીથી કંટાળી સંતોષભાઈએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. સોમવારે યુવકના પિતાએ પુત્રનો મૃતદેહ મળ્યો હતો તે જગ્યાએ જ જ્વલનશીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી હતી
જોકે આસપાસના લોકોએ દોડીને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.પોલીસ  દ્વારા દુકાનદાર ઘનશ્યામ સિંધી સામે આઈપીસી કલમ ૩૦૪  મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો અનુુુસાર તપાસમાં બહાર આવ્યું હતું કે, દુકાનમાલિક ઘનશ્યામ સિંધીએ પિલર હટાવી લેતા બાંધકામ નબળું થઈ ગયું હતું.

Related posts

અસારવામાં 25.32 કરોડ, મણિનગરમાં 10.26 કરોડ ચાંદલોડીયમાં 48.18 કરોડના ખર્ચે તૈયાર થશે રેલ્વે સ્ટેશનો

Ahmedabad Samay

ગ્રીષ્મા હત્યા કેસમા કુલ ૭૬ સાક્ષીઓની જુબાની લેવાની કામગીરી ચાલી રહી છે. હજી પણ ૧૦ સાક્ષીઓની જુબાની બાકી છે.

Ahmedabad Samay

અમદાવાદ શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી

Ahmedabad Samay

ઉત્તરાખંડના નૈનિતાલમાં ૧૨ વર્ષની બાળકી સાથે ૭૬ વર્ષીય વિધર્મી ઉસ્‍માનએ આચર્યું દુષ્કર્મ, નૈનિતાલમાં તણાવનો માહોલ

Ahmedabad Samay

લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા

Ahmedabad Samay

આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા પુલ તૂટી પડ્‍યો,૧૦ લોકો મૃત્યુ પામ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો