June 22, 2026
ગુજરાતઅપરાધ

કુબેરનગરમાં બિલ્ડીંગ નીચે દટાઈ મૃત્યુ પામેલા પુત્રના પિતાએ એજ સ્થાને આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો

ઓગસ્ટ માસમાં કુબેરનગર ફાટક રોડ પર પ્રેમ માર્કેટ નામની બિલ્ડિંગ એકાએક ધસી પડી હતી. આ ઘટનામાં પ્રેમ ઉર્ફે સોનુ નામના વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું હતું
મૃતકના પરિવારજનોએ દુકાન માલિક પર ગંભીર આરોપ લગાવ્યા હતા કે   જગ્યાનું ગેરકાયદેસર વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ દુકાનદારનું નામ ઘનશ્યામ મેઘરજભાઈ સિંધી છે. ઘનશ્યામ સિંધીએ ટીવીનો શો-રૂમ કરવા માટે 3 દીવાલો તોડી નાંખી હતી. જેથી આ ઘટના બની છે.

આ અંગે  પોલીસ કેસની તપાસ ચાલતી હતી ત્યારે ઘનશ્યામભાઈ, મયુર ટેલર સહિત કેટલાક લોકો પોલીસ કેસ ન થાય તે માટે ધમકી આપતાં હતા જો કે આ ધમકીથી કંટાળી સંતોષભાઈએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. સોમવારે યુવકના પિતાએ પુત્રનો મૃતદેહ મળ્યો હતો તે જગ્યાએ જ જ્વલનશીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી હતી
જોકે આસપાસના લોકોએ દોડીને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.પોલીસ  દ્વારા દુકાનદાર ઘનશ્યામ સિંધી સામે આઈપીસી કલમ ૩૦૪  મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો અનુુુસાર તપાસમાં બહાર આવ્યું હતું કે, દુકાનમાલિક ઘનશ્યામ સિંધીએ પિલર હટાવી લેતા બાંધકામ નબળું થઈ ગયું હતું.

Related posts

મહિલા વ્યાજખોરનો આતંક : કુણોલ (નવાઘરા)ના પશુપાલકે 2.50 લાખ ના દસ ટકા લેખે 4.50 લાખ પરત આપ્યા છતાં 7 લાખનો ખોટો કેસ કર્યો

Ahmedabad Samay

નિકોલ વિસ્તારમાં આવેલ વિરલ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટનો બનાવ

Ahmedabad Samay

ગાંધીનગર મહાનગર પાલિકા માટે કોંગ્રેસે વહ્યું રચના બનાવી

Ahmedabad Samay

લોકડાઉનની અસરથી થયેલા બેરોજગારો માટે કુબેરનગરમાં અનાજની કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay

GST કાઉન્‍સિલની ૫૬મી બેઠકમાં ૧૨ ટકા GST સ્‍લેબ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે, મધ્યમવર્ગના લોકોને થશે ફાયદો

Ahmedabad Samay

વિરાટનગર વિસ્તારમાં જી.પી.સી.બી. ના રેહમ રાહે ચાલી રહી છે પ્રદુષિત ફેકટરી,પ્રદૂષણ થી પ્રજા ત્રસ્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો