May 10, 2026
દેશ

રાજસ્થાનમાં કોરોના કહેર વધતા સૌથી વધુ પ્રભાવિત ૮ જિલ્લાના મુખ્ય મથકોમાં નાઈટ કરફ્યુ લાગુ કરવાનો નિર્ણય કર્યો

રાજસ્થાન સરકાર કોરોના સંક્રમિત દર્દીઓની વધતી સંખ્યાને પગલે હરકતમાં આવી છે. સરકારે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 8 જિલ્લા મુખ્ય મથકોમાં નાઈટ કરફ્યુલાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ જાહેર સ્થળો પર માસ્ક પહેર્યા વિના ફરવા પર દંડની રકમ વધારીને 500 રૂપિયા કરી દીધી છે.

આ સાથે જ રાજ્યની રાજધાની જયપુરમાં કલમ-144 લાગૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતની આગેવાનીમાં શનિવારે રાત્રે રાજ્યના મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યાં છે. આ બેઠકમાં ઠંડીની સિઝન અને તહેવારોના દિવસો દરમિયાન કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકવવાના ઉપાયોના ભાગરુપે વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યના સૌથી વધુ કોરોનાગ્રસ્ત 8 જિલ્લા મુખ્યમથકો જેમાં જયપુર, જોધપુર, કોટા, બીકાનેર, ઉદેપુર, અજમેર, અલવર અને ભીલવાડાના શહેરી વિસ્તારોમાં માર્કેટ, રેસ્ટોરન્ટ, શૉપિંગ મોલ સહિત તમામ સંસ્થાઓ સાંજે 7 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. અહીં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ રહેશે. જ્યારે માસ્ક નહીં પહેરવા બદલ વસૂલવામાં આવતી 200 રૂપિયાના દંડની રકમ પણ હવે વધારીને 500 રૂપિયા કરી દેવામાં આવી છે.

Related posts

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા દ્વારા ઈસકોન ચાર રસ્તા ખાતે ‘ઇન્ટરનેશનલ મેન્સ ડે’ ની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

T20 ના સેમિફાઇનલમાં પોહચવા હજુ મુશ્કેલી

Ahmedabad Samay

ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ જાહેર

Ahmedabad Samay

અશોક ગેહલોતે ચિરંજીવી હેલ્થ ઈન્સોરન્સ સ્કીમની જાહેરાત કરી

Ahmedabad Samay

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

Ahmedabad Samay

હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાન આર્મીના ચીફ જનરલ અસીમ મુનીર હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં, હુમલામાં પ્રતિબંધિત આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદનો ઉપયોગ કરવામાં આવ્યો આવી રહ્યો,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો