June 24, 2026
દેશ

રાજસ્થાનમાં કોરોના કહેર વધતા સૌથી વધુ પ્રભાવિત ૮ જિલ્લાના મુખ્ય મથકોમાં નાઈટ કરફ્યુ લાગુ કરવાનો નિર્ણય કર્યો

રાજસ્થાન સરકાર કોરોના સંક્રમિત દર્દીઓની વધતી સંખ્યાને પગલે હરકતમાં આવી છે. સરકારે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 8 જિલ્લા મુખ્ય મથકોમાં નાઈટ કરફ્યુલાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ જાહેર સ્થળો પર માસ્ક પહેર્યા વિના ફરવા પર દંડની રકમ વધારીને 500 રૂપિયા કરી દીધી છે.

આ સાથે જ રાજ્યની રાજધાની જયપુરમાં કલમ-144 લાગૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતની આગેવાનીમાં શનિવારે રાત્રે રાજ્યના મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યાં છે. આ બેઠકમાં ઠંડીની સિઝન અને તહેવારોના દિવસો દરમિયાન કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકવવાના ઉપાયોના ભાગરુપે વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યના સૌથી વધુ કોરોનાગ્રસ્ત 8 જિલ્લા મુખ્યમથકો જેમાં જયપુર, જોધપુર, કોટા, બીકાનેર, ઉદેપુર, અજમેર, અલવર અને ભીલવાડાના શહેરી વિસ્તારોમાં માર્કેટ, રેસ્ટોરન્ટ, શૉપિંગ મોલ સહિત તમામ સંસ્થાઓ સાંજે 7 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. અહીં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ રહેશે. જ્યારે માસ્ક નહીં પહેરવા બદલ વસૂલવામાં આવતી 200 રૂપિયાના દંડની રકમ પણ હવે વધારીને 500 રૂપિયા કરી દેવામાં આવી છે.

Related posts

આજની ભારત પાકિસ્તાન મેચ ઘરે બેઠા ફ્રી માં મેચનો આનંદ લેવા માંગો છો ?

Ahmedabad Samay

ટૂંક સમયમાં ડીએનએ આધારિત વેક્સિન બનાવનાર દુનિયાનો પહેલો દેશ બની શકે છે.

Ahmedabad Samay

ટીએમસીના ચૂંટણી રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોરે ચૂંટણી મેનેજમેન્ટનું પ્રોફેશન છોડવાનો નિર્ણય

Ahmedabad Samay

UAE માં કામ કરતા લાખો ભારતીયો માટે સારા સમાચાર,૨૩ જૂન થી ફ્લાઇટ શરૂ થઇ શકશે

Ahmedabad Samay

બિહારમાં પરિવર્તન નહી પુનરાવર્તન થઈ રહયું છે. નીતિશકુમારની વાપસી થઈ રહી

Ahmedabad Samay

મુગલ-એ-આઝમ “ દિલીપ કુમાર ” નું નિધન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો