દાણચોરીના રેકેટ સંદર્ભે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને (સીબીઆઈએ) કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટના બે સુપરિન્ટેન્ડન્ટ અને પાંચ ખાનગી વ્યક્તિઓ ઉપર એફઆઈઆર દાખલ કરી છે. આરોપી ઓફિસરો સોમનાથ ચૌધરી અને સુજીત કુમાર હોવાનું બહાર આવ્યું છે અને તેઓ બન્ને અમદાવાદ એરપોર્ટ ઉપર ઇન્ટેલિજન્સ યુનિટમાં ફરજ બજાવી રહેલ હતા.
અમદાવાદના પ્રિન્સિપાલ કમિશનર કુમાર સંતોશ દ્વારા આ બંને સામે ફરિયાદ નોંધાવ્યા પછી સીબીઆઈએ કડક પગલાં લીધા છે.
સૌ પ્રથમ દાણચોરોને છાવરવા માટે ડીઆરઆઈ દ્વારા બંને ઓફિસરોની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન સોનાની દાણચોરીના રેકેટમાં સંકળાયેલા હોવાનું આ બંનેએ કબૂલ કર્યાનું પણ બહાર આવ્યું છે.
