અમદાવાદમાં મનપા ની ચૂંટણીમાં તમામ પક્ષના નેતાઓ પ્રચારમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે તેમના વિસ્તારમાં જનતાને થતી સમસ્યાઓ નો ભાનજ ભૂલી ગયા છે, અમદાવાદના અનેક એવા વિસ્તાર છે જેમાં ચૂંટણીની જાહેતાર થતા કામ ધીમે પડી ગયા છે કાંતો કામ બંધજ થઇ ગયા છે.

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં મેવાડા પાર્ટી પ્લોટ સમક્ષ ઘણા કેટલાય દિવસથી કામ ચાલુ છે પરંતુ ચૂંટણીની જાહેતાર થતાંજ અહીંનું કામ કાચબાની ગતિએ ચાલુ છે જેના કારણે પ્રજાને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે નેતાજી ચૂંટણીના પ્રચારમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે ધીમી ગતિએ ચલતા કામ સમક્ષ કે પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવાનો સમયજ નથી,
રાત્રીના સમયે આ જગ્યાએ થી ઓછા પ્રકાશ હોવાના કારણે અને સાંજના સમયે નોકરિયાત લોકો અવર જવર કરતા હોવાથી એટલી બધી ધૂળ અને માટી ઊડતી હોય છે જેના કારણે ઘણી મુશ્કેલીઓ પડે છે, આજુબાજુના રહીશો પણ આ ધીમી ગતિના ત્રસ્ત થઇ ચુક્યા છે વાહનો ના અવર જવરના કારણે ઘરમાં ધૂળ માટી આવી જતી હોય છે જેના કારણે ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે. નવા નરોડાની જનતા આ ધીમી ગતિના કામ થી ખૂબ હેરાન પરેશાન થઇ ચુકી છે
