August 8, 2026
ગુજરાત

નવા નરોડામાં નેતાજી પ્રચારમાં વ્યસ્ત અને ધીમીગતિ કામના કારણે પ્રજા ત્રસ્ત

અમદાવાદમાં મનપા ની ચૂંટણીમાં તમામ પક્ષના નેતાઓ પ્રચારમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે તેમના વિસ્તારમાં જનતાને થતી સમસ્યાઓ નો ભાનજ ભૂલી ગયા છે, અમદાવાદના અનેક એવા વિસ્તાર છે જેમાં ચૂંટણીની જાહેતાર થતા કામ ધીમે પડી ગયા છે કાંતો કામ બંધજ થઇ ગયા છે.

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં મેવાડા પાર્ટી પ્લોટ સમક્ષ ઘણા કેટલાય દિવસથી કામ ચાલુ છે પરંતુ ચૂંટણીની જાહેતાર થતાંજ અહીંનું કામ કાચબાની ગતિએ ચાલુ છે જેના કારણે પ્રજાને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે નેતાજી ચૂંટણીના પ્રચારમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે ધીમી ગતિએ ચલતા કામ સમક્ષ કે પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવાનો સમયજ નથી,

રાત્રીના સમયે આ જગ્યાએ થી ઓછા પ્રકાશ હોવાના કારણે અને સાંજના સમયે નોકરિયાત લોકો અવર જવર કરતા હોવાથી એટલી બધી ધૂળ અને માટી ઊડતી હોય છે જેના કારણે ઘણી મુશ્કેલીઓ પડે છે, આજુબાજુના રહીશો પણ આ ધીમી ગતિના ત્રસ્ત થઇ ચુક્યા છે વાહનો ના અવર જવરના કારણે ઘરમાં ધૂળ માટી આવી જતી હોય છે જેના કારણે ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.                     નવા નરોડાની જનતા આ ધીમી ગતિના કામ થી ખૂબ હેરાન પરેશાન થઇ ચુકી છે

Related posts

મનપા ચૂંટણીમાં ચકાસણી દરમિયાન 907 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા, 797 ફોર્મ માન્ય રહ્યા

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્‍તારમાં કળયુગના માતાપિતાએ પોતાની દીકરીને ૪૦ હજારમા વહેચી

Ahmedabad Samay

પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં ગુમ થયેલા 3 બાળકો આખરે કાલુપુરથી મળી આવ્યા, જાણો શું હતો મામલો

Ahmedabad Samay

ઓલ ઇન્ડિયા પોલીસ 9 થી 13 મે સુધી બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે ગુજરાત પોલીસનું સિલેક્શન સુરતમાં

Ahmedabad Samay

રાજકોટ શહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાનાં માધ્‍યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો