June 24, 2026
ગુજરાત

નવા નરોડામાં નેતાજી પ્રચારમાં વ્યસ્ત અને ધીમીગતિ કામના કારણે પ્રજા ત્રસ્ત

અમદાવાદમાં મનપા ની ચૂંટણીમાં તમામ પક્ષના નેતાઓ પ્રચારમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે તેમના વિસ્તારમાં જનતાને થતી સમસ્યાઓ નો ભાનજ ભૂલી ગયા છે, અમદાવાદના અનેક એવા વિસ્તાર છે જેમાં ચૂંટણીની જાહેતાર થતા કામ ધીમે પડી ગયા છે કાંતો કામ બંધજ થઇ ગયા છે.

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં મેવાડા પાર્ટી પ્લોટ સમક્ષ ઘણા કેટલાય દિવસથી કામ ચાલુ છે પરંતુ ચૂંટણીની જાહેતાર થતાંજ અહીંનું કામ કાચબાની ગતિએ ચાલુ છે જેના કારણે પ્રજાને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે નેતાજી ચૂંટણીના પ્રચારમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે ધીમી ગતિએ ચલતા કામ સમક્ષ કે પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવાનો સમયજ નથી,

રાત્રીના સમયે આ જગ્યાએ થી ઓછા પ્રકાશ હોવાના કારણે અને સાંજના સમયે નોકરિયાત લોકો અવર જવર કરતા હોવાથી એટલી બધી ધૂળ અને માટી ઊડતી હોય છે જેના કારણે ઘણી મુશ્કેલીઓ પડે છે, આજુબાજુના રહીશો પણ આ ધીમી ગતિના ત્રસ્ત થઇ ચુક્યા છે વાહનો ના અવર જવરના કારણે ઘરમાં ધૂળ માટી આવી જતી હોય છે જેના કારણે ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.                     નવા નરોડાની જનતા આ ધીમી ગતિના કામ થી ખૂબ હેરાન પરેશાન થઇ ચુકી છે

Related posts

ગુજરાત શિક્ષણ બોર્ડ ધો.૧૦ અને ૧૨ની મુખ્‍ય જાહેર બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

Ahmedabad Samay

જાણો પોક્સો એકટ વિશે સચોટ માહિતી

Ahmedabad Samay

કિશન ભરવાડની હત્યા સંદર્ભે અમદાવાદ કલેકટર શ્રીને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

સરકાર, પ્રશાસન અને જનતા તમામ કોવિડની પ્રથમ લહેર બાદ લાપરવાહ થઈ ગયા હતા: મોહન ભાગવત

Ahmedabad Samay

અમદાવાદના નિકોલ વિસ્તારમાં હથિયારની ડાઇ તેમજ સ્પેરપાર્ટસ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

Ahmedabad Samay

અમદાવાદ સિવિલમાં અંગદાનની અભૂતપૂર્વ ઘટના: ત્રણેય પુત્રોએ ભેગા મળીને બ્રેઇનડેડ થયેલ પિતાના અંગોનું દાન કર્યું..

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો