શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પરિવાર અને તમામ સંગઠનો દ્વારા ગુજરાત ના દરેક જિલ્લા અને તાલુકા માં લુઆરા ગામ ની ઘટના સંદર્ભે અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે અને યોગ્ય ન્યાય મળે તે અર્થે ગુજરાત સરકાર ને રજુઆત કરવા કલેક્ટર શ્રી અને મામલતદાર શ્રી ને આજ રોજ આવેદન આપવામાં આવ્યું હતું.
આવેદન આપવા માટે ગુજરાત અધ્યક્ષ શ્રી રાજ શેખાવત, કરણી સેનાના સભ્યો અને જાગૃત નાગરિકો ન્યાય આપવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. કરણી સેના દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે આવેદનપત્ર આપ્યા બાદ સરકાર શ્રી દ્વારા યોગ્ય ન્યાય મળશે

