November 18, 2025
ગુજરાત

નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ

શહેરમાં ટ્રાફિકથી ધમધમતો એક બ્રિજ નવેમ્બરથી પાંચ મહિના માટે બંધ રહેશે. નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ રખાશે.

અમદાવાદનો ટ્રાફિકથી ભરચક રહેતો શાસ્ત્રી બ્રિજ હવે જૂનો થઈ ગયો હોવાથી તેના સમારકામની જરૂર પડી છે.  બ્રિજની મજબૂતી જાળવી રાખવા માટે તેના 15 વર્ષ જૂના 180 બેરિંગ બદલવા પડશે. આ સમારકામના કારણે નવેમ્બર મહિનાથી શરૂ કરીને આગામી 5 મહિના સુધી બ્રિજનો નારોલથી વિશાલા તરફ જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ રહેશે.જેને લઈ ડાયવર્ઝન પણ જાહેર કરવામાં આવ્યું છે.

ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર: આ વાહનો અવર-જવર માટે વિશાલાથી નારોલ તરફના બ્રિજનો ઉપયોગ કરી શકશે. એટલે કે, બ્રિજના એક ભાગ પરથી બંને તરફનો ટ્રાફિક ચલાવવામાં આવશે.

મોટાં વાહનો (ટ્રક, બસ વગેરે): હાલમાં પણ મોટાં વાહનો માટે બ્રિજ પર પ્રવેશ પ્રતિબંધિત છે. આ વાહનોએ દાણીલીમડા થઈને અંજલિ ચાર રસ્તા તરફથી જવું પડશે.

આ બ્રિજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ આવવા-જવા માટેનો ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગ છે. તેના પર રોજના લાખો વાહનોની અવરજવર રહે છે. નોંધનીય છે કે આ બ્રિજનું સમારકામ એક વર્ષ પહેલાં પણ થયું હતું, પરંતુ ત્યારે માત્ર ઉપરના રસ્તા (સરફેસિંગ)ની કામગીરી જ કરવામાં આવી હતી.

Related posts

જન જાગૃતિ ફાઉન્ડેન દ્વારા આજ રોજ ગાંધીનગર તથા અમદાવાદ ખાતે 1500થી વધુ વિધવા બહેનોને સાડી નું વિતરણ કરવામાં આવ્યું હતુ

Ahmedabad Samay

જાહેર ચેતાવણી.

Ahmedabad Samay

મીની લોકડાઉનને લઇ આજે બેઠક થશે, આંશિક છૂટ મળી શકે તેવી શકયતા

Ahmedabad Samay

અમદાવાદમાં 2 કિલો ડ્રગ્સ યુપીથી મોકલવામાં આવ્યું હતું, એસઓજી યુપી જઈ આરોપીને પકડશે

Ahmedabad Samay

સ્વધા સોસિયલ ફાઉન્ડેશન દ્વારા ધો.૧૦ તથા ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો ભય દૂર કરવા અને કેરિયર માર્ગદર્શન માટે આજ રોજ ચાંદખેડામાં સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમરવેલી અમરેલીના આંગણે શ્રી કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલય ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૨-૨૩નો રંગારંગ શુભારંભ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો