May 7, 2026
ગુજરાત

નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ

શહેરમાં ટ્રાફિકથી ધમધમતો એક બ્રિજ નવેમ્બરથી પાંચ મહિના માટે બંધ રહેશે. નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ રખાશે.

અમદાવાદનો ટ્રાફિકથી ભરચક રહેતો શાસ્ત્રી બ્રિજ હવે જૂનો થઈ ગયો હોવાથી તેના સમારકામની જરૂર પડી છે.  બ્રિજની મજબૂતી જાળવી રાખવા માટે તેના 15 વર્ષ જૂના 180 બેરિંગ બદલવા પડશે. આ સમારકામના કારણે નવેમ્બર મહિનાથી શરૂ કરીને આગામી 5 મહિના સુધી બ્રિજનો નારોલથી વિશાલા તરફ જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ રહેશે.જેને લઈ ડાયવર્ઝન પણ જાહેર કરવામાં આવ્યું છે.

ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર: આ વાહનો અવર-જવર માટે વિશાલાથી નારોલ તરફના બ્રિજનો ઉપયોગ કરી શકશે. એટલે કે, બ્રિજના એક ભાગ પરથી બંને તરફનો ટ્રાફિક ચલાવવામાં આવશે.

મોટાં વાહનો (ટ્રક, બસ વગેરે): હાલમાં પણ મોટાં વાહનો માટે બ્રિજ પર પ્રવેશ પ્રતિબંધિત છે. આ વાહનોએ દાણીલીમડા થઈને અંજલિ ચાર રસ્તા તરફથી જવું પડશે.

આ બ્રિજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ આવવા-જવા માટેનો ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગ છે. તેના પર રોજના લાખો વાહનોની અવરજવર રહે છે. નોંધનીય છે કે આ બ્રિજનું સમારકામ એક વર્ષ પહેલાં પણ થયું હતું, પરંતુ ત્યારે માત્ર ઉપરના રસ્તા (સરફેસિંગ)ની કામગીરી જ કરવામાં આવી હતી.

Related posts

અમદાવાદ-વર્લ્ડ કપની ફાઈનલ તેમજ ભારત પાકિસ્તાનની હાઈવોલ્ટેજ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાય તેવી શક્યતા

Ahmedabad Samay

નેતાજી બલરામ થાવાણીની દાદાગીરી ફરી આવી સામે,VI કર્મચારી ને કામ કરવાથી રોકવામાં આવ્યું

Ahmedabad Samay

સુરતમાં કપલ બોક્સની અંદર દુષ્કર્મ, પરિણીતાના ફોટો પાડી બ્લેકમેલ કરી

Ahmedabad Samay

આજ સાંજથી સમગ્ર અમદાવાદ પોલીસનાં પંજામાં,મંગળા આરતીમાં ગુજરાત આવી પહોંચેલ કેન્‍દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે જોડાશે

Ahmedabad Samay

સરકારને નવો કલેવર આપવા તથા નવા ચહેરાઓ અને યુવાવર્ગને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો

Ahmedabad Samay

શાહીબાગમાં સ્ટેટ મોનિટરિંગ સેલેની રેડ, નામચીન બુટલેગરોની 1,090 વિદેશી દારૂની બોટલો અને અંદાજિત કિંમત 1.40 લાખ રૂપિયાજપ્ત કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો