March 25, 2026
ગુજરાતદેશરાજકારણ

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

રાહુલ ગાંધીએ આસામમાં એક રેલી દરમિયાન ગુજરાતીઓ અંગે કરેલા નિવેદનનો કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યો હતો. અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલ ગાંધીના નિવેદનનો ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો અને  સુત્રોચ્ચાર કર્યા હતા.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અસમમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે પહોચ્યા હતા. રાહુલ ગાંધીએ ચાના મજૂરોને લોભાવવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યુ કે, “આસામમાં ચાના બગીચામાં મજૂરોને રોજના ૧૬૭ રૂપિયા મળે છે જ્યારે મોદી સરકારમાં ગુજરાતના વેપારીઓને ચાના બગીચા જ મળી જાય છે”

રાહુલ ગાંધીના આ નિવેદન પર સી.એમ.વિજય રૂપાણીએ  પલટવાર કરતા જણાવ્યું હતું કે “રાહુલ ગાંધીના શબ્દો અને તેમની કોંગ્રેસ પાર્ટીની ગુજરાતીઓ પ્રત્યેની નફરતને બતાવે છે. ગુજરાત આવી ધૃણિત નફરતને સ્વીકાર નહી કરે.

જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે પણ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા અને કહ્યુ કે “રાહુલ ગાંધીના ગુજરાતીઓ માટે શરમજનક શબ્દ તેમની બીમાર માનસિકતા અને ગુજરાત માટે નફરતને દર્શાવે છે.

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇકે જાડેજા, નિકુલ મારુ  સહિતના અન્ય કાર્યકરો પહોચ્યા હતા અને રાહુલ ગાંધીના નિવેદનને લઇને વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરોએ ભેગા થઇને રાહુલ ગાંધી માફી માંગે કોંગ્રેસ મુર્દાબાદના નારા લગાવ્યા હતા

આ દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકર આમને-સામને આવી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોચીને મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

શ્રી વિક્રમ સિંહ શેખાવતજીનું અકાળે થયું અવસાન

Ahmedabad Samay

કોરોનાના કેસનો વ્યાપ વધતા થોડા સમય માટે કરફયુનો સમય વધારવામાં આવે તેવી શકયતા

Ahmedabad Samay

અમદાવાદ – તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી આજે અમદાવાદ કોર્ટમાં થશે

Ahmedabad Samay

હિંમતનગર બાદ ખંભાતમા પણ રેલી ઉપર થયો પથ્થર મારો

Ahmedabad Samay

અમદાવાદમાં અકસ્માત બાદ પોલીસ એલર્ટ, 100થી વધુ જગ્યાએ વાહન ચેકિંગ ડ્રાઈવ

Ahmedabad Samay

મુંબઈમાં કોરોનાનો કેહર યથાવત,કોરોના કેસ ૪૨,૨૧૬ ને પાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો