June 21, 2026
ગુજરાતદેશરાજકારણ

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

રાહુલ ગાંધીએ આસામમાં એક રેલી દરમિયાન ગુજરાતીઓ અંગે કરેલા નિવેદનનો કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યો હતો. અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલ ગાંધીના નિવેદનનો ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો અને  સુત્રોચ્ચાર કર્યા હતા.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અસમમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે પહોચ્યા હતા. રાહુલ ગાંધીએ ચાના મજૂરોને લોભાવવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યુ કે, “આસામમાં ચાના બગીચામાં મજૂરોને રોજના ૧૬૭ રૂપિયા મળે છે જ્યારે મોદી સરકારમાં ગુજરાતના વેપારીઓને ચાના બગીચા જ મળી જાય છે”

રાહુલ ગાંધીના આ નિવેદન પર સી.એમ.વિજય રૂપાણીએ  પલટવાર કરતા જણાવ્યું હતું કે “રાહુલ ગાંધીના શબ્દો અને તેમની કોંગ્રેસ પાર્ટીની ગુજરાતીઓ પ્રત્યેની નફરતને બતાવે છે. ગુજરાત આવી ધૃણિત નફરતને સ્વીકાર નહી કરે.

જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે પણ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા અને કહ્યુ કે “રાહુલ ગાંધીના ગુજરાતીઓ માટે શરમજનક શબ્દ તેમની બીમાર માનસિકતા અને ગુજરાત માટે નફરતને દર્શાવે છે.

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇકે જાડેજા, નિકુલ મારુ  સહિતના અન્ય કાર્યકરો પહોચ્યા હતા અને રાહુલ ગાંધીના નિવેદનને લઇને વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરોએ ભેગા થઇને રાહુલ ગાંધી માફી માંગે કોંગ્રેસ મુર્દાબાદના નારા લગાવ્યા હતા

આ દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકર આમને-સામને આવી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોચીને મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

કેન્‍દ્રીય ગૃહમંત્રી  શાહના નજીકના સાથી જગદીશ વિશ્વકર્મા ગુજરાતમાં પાર્ટીના નવા અધ્‍યક્ષ

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા અમદાવાદ ની 144મી જગન્નાથ જી ની રથયાત્રા વિશે ચર્ચા કરવામાં આવી

Ahmedabad Samay

વિશ્વાસને તે યાદોમાંથી બહાર નીકળવું તે કાટમાળમાંથી બહાર નીકળવા કરતાં વધુ મુશ્કેલ, યાદો માંથી નીકળવા માટે મનોચિકિત્સકની મદદ લઈ રહ્યા છે,

Ahmedabad Samay

અમદાવાદના છારાનગરમાં એકસાથે ૨૫૦ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

ખાડિયા વિસ્તારમાં પિયર પક્ષ વડે સાસરી પક્ષ પર હત્યા કરવાનો આક્ષેપ,પાંચ માસ ના બાળક ને ન્યાય મળે એવી માંગ કરવામા આવી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીયો ને શહેર છોડી ન જવા અપીલ કરાઇ, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો