March 24, 2026
ગુજરાતરસપ્રદ વાતો

૨૩ ફેબ્રુઆરી એ આવી રહી છે “જયા એકાદશી”જાણો શું છે મહત્વ, પૂજા અર્ચના,ધ્યાન કેવી રીતે કરવું અને તેના શુ છે ફાયદા.

                         જયા એકાદશી

મહા સુદ ૧૧ ના રોજ જયા એકાદશી નું વ્રત રાખવામાં આવે છે,પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે વ્રત રાખવાથી પિશાચ યોનિ નો ભય રહેતો નથી
જયા એકાદશી નો આરંભ તારીખ ૨૨/૦૨/૨૦૨૧ ના રોજ સાંજે ૦૫.૧૬ કલાક થી શરૂ થાય છે અને તારીખ ૨૩/૦૨/૨૦૨૧ ના રોજ સાંજે ૦૬.૦૫ કલાકે પૂર્ણ થાય છે.

                         ધ્યાન અને પૂજન
આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ નું ધ્યાન પૂજન અને સ્મરણ કરવું , ૐ નમો ભાગવતે વસુદેવે આ મંત્ર નો ૩ માળા જાપ કરવો,

                     જયા એકાદશી ની કથા
એક સમયે દેવરાજ ઇન્દ્ર નંદન વન માં અપ્સરાઓ અને ગંધરવો સાથે વિહાર અને ગયાં કરી રહ્યા હતા તે સમયે તે વૃંદ માં પ્રસિધ્ધ પુષ્પદંત તેમની કન્યા પુષ્પવતી તથા ચિત્રસેન અને તેની પત્ની માલિની પણ ઉપસ્થિત હતા
આ વિહાર સમયે માલિની નો પુત્ર પુષ્પવાન અને માલીવન પણ ગાંધર્વ ગાન માં સાથ આપી રહ્યા હતા. તે સમયે ગાંધર્વ કન્યા પુષ્પવતી માલીવન ઉપર મોહિત થઈ ગઈ અને માલીવન પણ પુષ્પવાતી ના રૂપ થી આકર્ષાઈ ગયો, બંને એ પોતાની સુધ બુધ ખોઈને ચિત્ત ચંચળ થઈ ગયું, સ્વર અને તાલ નો મેલ રહ્યો નહિ.. આ જોઈ ને ઇન્દ્ર ખુબજ નારાજ થયા અને બંને જણા ને સ્વર્ગલોક ના પદ થી મુક્ત કરીને શ્રાપ આપ્યો કે તમે બંને જણા મૃત્યુ લોક માં જઈને પિશાચ યોનિ માં વિહાર કરો અને તમારા કર્મો નું ફળ ભોગવો.
આ શ્રાપ ના કારણે બંને જણા ભૂલોક માં આવીને હિમાલય ક્ષેત્રમાં પોતાનું જીવન દુખપૂર્વક પસાર કરવા લાગ્યા . ઘણા દિવસો વીતી ગયા .. અને એક દિવસ મહા સુદ ૧૧ ના રોજ જયા એકાદશી નો દિવસ આવ્યો . બંને જણાએ નિરાહાર રહીને ભગવાન વિષ્ણુ નું સ્મરણ કરીને આ દિવસ વિતાવ્યો. અને પોતાના ના પાપ માં થી મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરી. અને બીજા દિવસે ભગવાને તેમની ઉપર પ્રસન્ન થઈને પિશાચ યોનીમાંથી મુક્તિ આપી. દેવરાજ ઇન્દ્ર એ પણ તેમણે ક્ષમા આપી. દેવોએ પુષ્પવર્ષા કરી.

                              વ્રત નો લાભ
કોઈ પણ મનુષ્ય આ વ્રત કરશે તેણે પિશાચ યોનિ નો ભય રહેતો નથી,

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેષભાઈ જોષી , મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

દિવાળીના તહેવારે ગુજરાતભરમાં આગના બનાવો બન્યા

Ahmedabad Samay

ચાંદલોડિયા ખાતે દુકાન જબરજસ્તી કબજે કરવા હવામાં કરવામાં આવ્યું ફાયરીંગ

Ahmedabad Samay

રવિવાર ના રોજ મોહિની એકાદશી વ્રત છે,જાણો મોહિની વ્રતની મહિમા અને વ્રતના ફાયદા. શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

નિકોલની ૩૦ વર્ષીય મહિલાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા હૃદયરોગની તપાસ માટે નિઃશુલ્ક કેમ્પ આયોજન કરાયું

Ahmedabad Samay

નવા મંત્રીમંડળમાં યુવા અને નાની વયના નેતાનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના રાજકારણમાં ઘણા નેતાઓ ને નાની વ્યમાંજ મંત્રી પદ આપ્યું છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો