June 24, 2026
ગુજરાત

પોલીસના દમન સામે આજે કુબેરનગર અને સરદારનગરના વેપારીઓ દ્વારા બંધનો એલાન

અમદાવાદમાં પોલીસના અત્યાચારના વિરોધમાં કુબેરનગર, સરદારનગર અને નરોડા પાટિયા સુધીના વિસ્તારમાં વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળ્યો છે,  સિંધી વેપારીઓએ જણાવ્યું કે પોલીસ દમનના વિરોધમાં આ બંધ પાળવામાં આવ્યો છે.

વેપારીઓનો આરોપ છે કે પોલીસ અહીંના વેપારીઓને ખોટી રીતે હેરાન કરે છે. તે અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ પગલાં લેવાયા નથી  તેથી સરદાર નગરથી નરોડા પાટિયા સુધી તમામ વેપારીઓ ખાસ કરીને સિંધી સમાજના લોકોએ આજે ગુરુવારે સ્વંયભૂ બંધ પાળી વેપાર ધંધાની અળગા રહેવાનો નિર્ણય લીધો છે.

થોડા દિવસ પહેલાં એક યુવકને પોલીસ કર્મચારીઓે ખોટી રીતે માર માર્યો હતો. જે અંગે સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે કોઇ પગલાં લેવાયા નથી. જે અંગે આજે સરકાર અને તંત્રની આંખ ઉઘાડવા માટે આ બંધ પાળવામાં આવ્યું છે. જેેથી કરીને ભવિષ્યમાં પોલીસ લોકોને હેરાન ન કરે.

સિંધી વેપારીઓ દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Related posts

સરદારનગરમાં લાંબા સમયથી ચાલતું મહિલા સંચાલિત જુગરધામ પકડાયું

Ahmedabad Samay

અસારવાના બાળકો પુલવામાં શહીદ થયેલ વીરોને આપી શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

રાજકોટના અવકાશમાં અવાજ સાથે સાત રંગથી પ્રકાશિત તરંગો દેખાયા

Ahmedabad Samay

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 126મું અંગદાન, કિડનીના દાનથી બે લોકોને નવજીવન

Ahmedabad Samay

અમદાવાદનો વિશાલા બ્રિજ જર્જરિત હાલતમાં, કોંગ્રેસના ધારાસભ્યની વાહન વ્યવહાર બંધ કરવાની માગ

Ahmedabad Samay

ઍકાદ હજારથી વધુ ઍકસ આર્મીમેનોઍ ઍરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રીજના રસ્તાઓ ચક્કાજામ કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો