May 7, 2026
ગુજરાતદેશ

સરકાર, પ્રશાસન અને જનતા તમામ કોવિડની પ્રથમ લહેર બાદ લાપરવાહ થઈ ગયા હતા: મોહન ભાગવત

પોઝિટિવિટી અનલિમિટેડ કાર્યક્રમને સંબોધિત કરતા મોહન ભાગવતે જણાવ્યું કે આ કસોટીનો સમય છે અને આપણે બધાએ ધીરજ જાળવી રાખવી પડશે. હાલની પરિસ્થિતિમાં તર્કહિન નિવેદન ન આપવું જોઈએ. આપણે એકજૂટ રહેવું પડશે અને એક ટીમની જેમ કામ કરવું પડશે.આપણે આજની પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ કારણ કે સરકાર, પ્રશાસન અને જનતા તમામ કોવિડની પ્રથમ લહેર બાદ લાપરવાહ થઈ ગયા હતા. હવે ત્રીજી લહેરની વાત થઈ રહી છે પરંતુ આપણે ડરવાની નહીં પરંતુ પોતાની જાતને તૈયાર રાખવાની જરુર છે.

કોરોના મહામારી માનવતાની સામે મોટો પડકાર છે અને ભારતે દાખલો બેસાડવાનો છે. આપણે દોષો કાઢવાને બદલે એક ટીમ તરીકે કાર્ય કરવું જોઈએ. ટીકા ટીપ્પણીઓ તો આપણે પછીથી પણ કરી શકીશું.

મોહન ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે હું બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલનું એક વિધાન હમેંશા કહું છું. ચર્ચિલ કહેતા કે મારી ઓફિસમાં નિરાશાવાદને કોઈ સ્થાન નથી. અમે પરાજયની સંભાવના માટે  જરા પણ ઈચ્છુક નથી. પરાજય તો અસ્તિત્વમાં જ નથી. ભારતે પણ આવી જ રીતે મહામારી પર સંપૂર્ણ વિજય મેળવવાનો છે.

 

૧૬ મેં ના રોજ સંઘ દ્વારા  શહેરના અનેક વિસ્તારમાં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકોને અપીલ કરાઈ છે કે વેકસીન લીધા પહેલા લોકોએ રક્તદાન અવશ્ય કરાવવું જોઈએ

https://youtube.com/c/AhmedabadSamay

Related posts

AIMIM મોડાસા નગરપાલિકામાં હવે વિપક્ષની ભૂમિકા નીભાવશે,મોડાસા નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી

Ahmedabad Samay

નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-૨૦૨૬નું સફળતાપૂર્વક પૂર્ણ,અંદાજે ૬,૪૨,૨૩૨ પક્ષીઓની હાજરી નોંધાઇ

Ahmedabad Samay

RRR2 ફિલ્મનું ટૂંક સમયમાં થશે શૂટિંગ શરૂ

Ahmedabad Samay

આગામી ૨૬ જાન્યુઆરીએ ૭૭મો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવા,પરેડમાં આ વર્ષે પ્રાણીઓની ખાસ ટુકડી હશે શામેલ

Ahmedabad Samay

ટામેટા બાદ હવે આદુના ભાવમાં વધારો થશે, આદુ વગરની ચા પીવાનો વારો આવ્યો

Ahmedabad Samay

બે વર્ષથી ફરાર વોન્ટેડ ગુનેહગારની ઓઢવ પોલીસે કરી ધરપકડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો