May 9, 2026
ગુજરાત

પોલીસના દમન સામે આજે કુબેરનગર અને સરદારનગરના વેપારીઓ દ્વારા બંધનો એલાન

અમદાવાદમાં પોલીસના અત્યાચારના વિરોધમાં કુબેરનગર, સરદારનગર અને નરોડા પાટિયા સુધીના વિસ્તારમાં વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળ્યો છે,  સિંધી વેપારીઓએ જણાવ્યું કે પોલીસ દમનના વિરોધમાં આ બંધ પાળવામાં આવ્યો છે.

વેપારીઓનો આરોપ છે કે પોલીસ અહીંના વેપારીઓને ખોટી રીતે હેરાન કરે છે. તે અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ પગલાં લેવાયા નથી  તેથી સરદાર નગરથી નરોડા પાટિયા સુધી તમામ વેપારીઓ ખાસ કરીને સિંધી સમાજના લોકોએ આજે ગુરુવારે સ્વંયભૂ બંધ પાળી વેપાર ધંધાની અળગા રહેવાનો નિર્ણય લીધો છે.

થોડા દિવસ પહેલાં એક યુવકને પોલીસ કર્મચારીઓે ખોટી રીતે માર માર્યો હતો. જે અંગે સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે કોઇ પગલાં લેવાયા નથી. જે અંગે આજે સરકાર અને તંત્રની આંખ ઉઘાડવા માટે આ બંધ પાળવામાં આવ્યું છે. જેેથી કરીને ભવિષ્યમાં પોલીસ લોકોને હેરાન ન કરે.

સિંધી વેપારીઓ દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Related posts

શાસ્ત્રો સાથે સહમત ન હોય તો હવે હથિયાર બતાવવાનો સમય છે

Ahmedabad Samay

AMCમાં 5 વર્ષમાં 22 મહિલાઓએ સત્તાવાર પોતાની મરજીથી સિંગલ મધર બની કરાવી નોંધણી

Ahmedabad Samay

અમદાવાદ – ગાંધીનગર પોઇન્ટ બસ સેવા શરૂ

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના કેસ વધવાનું કારણ, કોરોનાને લઈ તંત્રની બેદરકારી, વાંચવાં જેવું બેદરકારી નો કિસ્સો

Ahmedabad Samay

પાકિસ્તાન વાયુસેનાના JF-17 ફાઇટર પ્લેનને ભારતે તોડી પાડ્યું હતું, પાયલટ રાજસ્થાનના લાઠીથી પકડાયો

Ahmedabad Samay

હવે તમારે પૈસા ઉપાડવા માટે પ્લાસ્ટિક કાર્ડ (ડેબિટ કાર્ડ) ને એટીએમ મશીનમાં નાખવાની જરૂર નહીં પડે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો