February 5, 2026
ગુજરાત

પોલીસના દમન સામે આજે કુબેરનગર અને સરદારનગરના વેપારીઓ દ્વારા બંધનો એલાન

અમદાવાદમાં પોલીસના અત્યાચારના વિરોધમાં કુબેરનગર, સરદારનગર અને નરોડા પાટિયા સુધીના વિસ્તારમાં વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળ્યો છે,  સિંધી વેપારીઓએ જણાવ્યું કે પોલીસ દમનના વિરોધમાં આ બંધ પાળવામાં આવ્યો છે.

વેપારીઓનો આરોપ છે કે પોલીસ અહીંના વેપારીઓને ખોટી રીતે હેરાન કરે છે. તે અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ પગલાં લેવાયા નથી  તેથી સરદાર નગરથી નરોડા પાટિયા સુધી તમામ વેપારીઓ ખાસ કરીને સિંધી સમાજના લોકોએ આજે ગુરુવારે સ્વંયભૂ બંધ પાળી વેપાર ધંધાની અળગા રહેવાનો નિર્ણય લીધો છે.

થોડા દિવસ પહેલાં એક યુવકને પોલીસ કર્મચારીઓે ખોટી રીતે માર માર્યો હતો. જે અંગે સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે કોઇ પગલાં લેવાયા નથી. જે અંગે આજે સરકાર અને તંત્રની આંખ ઉઘાડવા માટે આ બંધ પાળવામાં આવ્યું છે. જેેથી કરીને ભવિષ્યમાં પોલીસ લોકોને હેરાન ન કરે.

સિંધી વેપારીઓ દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Related posts

ગાંધીનગર ખાતે 15 માર્ચના રોજ રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે

Ahmedabad Samay

અસારવાના બાળકો પુલવામાં શહીદ થયેલ વીરોને આપી શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

નરોડાના ગેલેક્સી સિનેમા સામે આવેલ અંડરબ્રિજ ત્રણ દિવસ માટે બંધ

Ahmedabad Samay

અસારવા વિસ્તારમાં સુમન રાજપૂત દ્વારા ૦-૫ વર્ષના બાળકોના આધારકાર્ડ બનાવવાનું કામ હાથધરાયું

Ahmedabad Samay

મોરબી દુર્ઘટનાના લોકોના જીવ બચાવનાર રિયલ હીરો સમાન ગુજરાત પોલીસને દિલથી સલામ

Ahmedabad Samay

બજરંગ દળ હિંદની અમદાવાદના અસારવા વિસ્તારમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો