June 24, 2026
ગુજરાત

પોલીસના દમન સામે આજે કુબેરનગર અને સરદારનગરના વેપારીઓ દ્વારા બંધનો એલાન

અમદાવાદમાં પોલીસના અત્યાચારના વિરોધમાં કુબેરનગર, સરદારનગર અને નરોડા પાટિયા સુધીના વિસ્તારમાં વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળ્યો છે,  સિંધી વેપારીઓએ જણાવ્યું કે પોલીસ દમનના વિરોધમાં આ બંધ પાળવામાં આવ્યો છે.

વેપારીઓનો આરોપ છે કે પોલીસ અહીંના વેપારીઓને ખોટી રીતે હેરાન કરે છે. તે અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ પગલાં લેવાયા નથી  તેથી સરદાર નગરથી નરોડા પાટિયા સુધી તમામ વેપારીઓ ખાસ કરીને સિંધી સમાજના લોકોએ આજે ગુરુવારે સ્વંયભૂ બંધ પાળી વેપાર ધંધાની અળગા રહેવાનો નિર્ણય લીધો છે.

થોડા દિવસ પહેલાં એક યુવકને પોલીસ કર્મચારીઓે ખોટી રીતે માર માર્યો હતો. જે અંગે સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે કોઇ પગલાં લેવાયા નથી. જે અંગે આજે સરકાર અને તંત્રની આંખ ઉઘાડવા માટે આ બંધ પાળવામાં આવ્યું છે. જેેથી કરીને ભવિષ્યમાં પોલીસ લોકોને હેરાન ન કરે.

સિંધી વેપારીઓ દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Related posts

અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાની યોજાઇ મહત્વની બેઠક

Ahmedabad Samay

ગુજરાતના રાજકરણમાં વધુ એક ઝટકો, કેસૂબાપા નું નિધન

Ahmedabad Samay

ઉતરાયણના પર્વને લઈ રાજ્યના ગૃહ વિભાગ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

Ahmedabad Samay

પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું સ્થળ અચાનક બદલાયું, પોલીસ સમક્ષ આયોજકો ઝૂક્યા! જાણો શું થયું?

Ahmedabad Samay

નિકોલની ૩૦ વર્ષીય મહિલાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો