આજ રોજ વહેલી સવારે કોતરપુર પાસે માર્ગ અકસ્માતમાં નિરજસિંહ ભદોરીયાના ભાઇ સમાન શ્રી રણજીતસિંહ ભદોરીયા નું કરુંણ મોત નિપજ્યું છે, સવારના પરોઢે રણજીતસિંહ બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા એવામાં એકા એક અકસ્માત થતા ઘટના સ્થળેજ રણજીતસિંહ મૃત્યુ પામ્યા હતા,
તેમના પરિવારમાં અને મિત્રગણ માં શોકની લાગણી ફેલાઇ છે, રણજીતસિંહના બે બાળક અને પત્ની છે, બે માસુમ બાળકો પરથી આજ રોજ પિતાનો સાયો છીનવાઈ ગયો છે, તેમના પરિવાર ની આ દુઃખદ સમય જોતા સ્વ કોઈની આંખો ભીની થઇ ગઇ હતી, તેમના આસ પડોશમાં અને તેમના વિસ્તારમાં મૃત્યુના સમાચાર થી શોકની લાગણી ફેલાઇ ગઇ છે, તેમની અંતિમયાત્રા માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દુઃખ વ્યક્ત કર્યું હતું.
શ્રી રણજીતસિંહ ભદોરીયા નું બેસણું સોમવાર સવારે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.
સમય: ૦૯ થી ૧૨
સ્થળ:૧૯૪ જય અંબે સોસાયટી, વિભાગ-૧, ભાર્ગવ રોડ, કુબેરનગર, અમદાવાદ.
