May 12, 2026
ગુજરાત

આજ રોજ વહેલી સવારે રણજીતસિંહ ભદોરીયાનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત

આજ રોજ વહેલી સવારે કોતરપુર પાસે માર્ગ અકસ્માતમાં નિરજસિંહ ભદોરીયાના ભાઇ સમાન શ્રી રણજીતસિંહ ભદોરીયા નું કરુંણ મોત નિપજ્યું છે, સવારના પરોઢે રણજીતસિંહ બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા એવામાં એકા એક અકસ્માત થતા ઘટના સ્થળેજ રણજીતસિંહ મૃત્યુ પામ્યા હતા,

તેમના પરિવારમાં અને મિત્રગણ માં શોકની લાગણી ફેલાઇ છે, રણજીતસિંહના બે બાળક અને પત્ની છે, બે માસુમ બાળકો પરથી આજ રોજ પિતાનો સાયો છીનવાઈ ગયો છે, તેમના પરિવાર ની આ દુઃખદ સમય જોતા સ્વ કોઈની આંખો ભીની થઇ ગઇ હતી, તેમના આસ પડોશમાં અને તેમના વિસ્તારમાં મૃત્યુના સમાચાર થી શોકની લાગણી ફેલાઇ ગઇ છે, તેમની અંતિમયાત્રા માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દુઃખ વ્યક્ત કર્યું હતું.
શ્રી રણજીતસિંહ ભદોરીયા નું બેસણું સોમવાર સવારે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.
સમય: ૦૯ થી ૧૨
સ્થળ:૧૯૪ જય અંબે સોસાયટી, વિભાગ-૧, ભાર્ગવ રોડ, કુબેરનગર, અમદાવાદ.

Related posts

અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે ધૂમધામથી જળયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો જોડાશે

Ahmedabad Samay

જો સુરતમાં કોરોના કેસ વધશે તો તેના જવાબદાર સી.એમ. ભૂપેન્દ્ર પટેલ હશે, સાયકલોથનમાં આશરે ૧૦,૦૦૦ જેટલી ભીડ એકત્રિત કરી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા શિવ બારાત સભા અને સ્નેહ મિલન ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું,

Ahmedabad Samay

મેઘાણીનગરના ઊમેશ્વર મહાદેવ મંદિર દ્વારા શિવજીની પાલકી કઢાઈ હતી.

Ahmedabad Samay

છત્રી સાથે રાખી રમવા પડશે ગરબા,હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી

Ahmedabad Samay

પુનમચંદ વણઝારાને ભારે માત્રામાં સમર્થન, ફુલહારથી કરાયું સ્વાગત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો