August 7, 2026
ગુજરાત

ફરી લોકડાઉન,૦૮ વાગ્યા બાદ બધું બંધ અફવા,૭ વાગ્યા પછી ફક્ત હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો ફરજિયાત પણે બંધ

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતાં કોર્પોરેશનનું તંત્ર દ્વારા પાલડી, મણીનગર નારણપુરા ,નવરંગપુરા, થલતેજ બોડકદેવ ,જોધપુર અને એસજી હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વુમન્સ ડે ના કારણે ખાણીપીણી બજારમાં ભીડ એકઠી થતા સોશિયલ ડિસ્ટન્સ ના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. અને નિર્ધારિત સમય કરતા પહેલા જ હોટેલ અને રેસ્ટોરેન્ટને બંધ કરવી હતી.

અમદાવાદ શહેરમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આકરા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અંતર્ગત હવે શહેરના પાલડી, નવરંગપુરા, નારણપુરા, મણીનગર, ગોતા, જોધપુર, થલતેજ અને સમગ્ર એસજી હાઈવે પર રોજ સાંજે ૭ વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો ફરજિયાત બંધ કરાવી દેવાનું નક્કી કરાયું છે. આ માટે હોટલ, રેસ્ટોરન્ટને જાણ કરી દેવામાં આવી છે. ઉપરાંત, ચાની કીટલીઓ પણ સાંજે બંધ કરવા માટે સૂચના અપાઈ છે. આમ, શહેરમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાના પગલે સાંજે ૭ વાગ્યાથી અચોક્કસ મુદત માટે હોટલ-રેસ્ટોરન્ટ બંધ કરવા માટે નિર્ણય લેવાયો છે. આ દરમિયાન જો શહેરના અન્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધશે તો અન્ય વિસ્તારોમાં પણ હોટલ-રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 129 નવા કેસ સામે આવ્યા છે. જયારે એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે. જે સાથે અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 63,713 થયો છે. જ્યારે 60,665 દર્દી સ્વસ્થ્ય થયા છે.

Related posts

વિપક્ષી નેતા દિનેશ શર્માએ પક્ષમાંથી આપ્યું રાજીનામુ, શુ હવે દિનેશ શર્મા થામશે ભાજપનો હાથ ?

Ahmedabad Samay

અમદાવાદ શહેરના જાણીતા બિલ્‍ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્‍યા.

Ahmedabad Samay

સતત વધતા કેસની વચ્ચે આજથી લગ્નની સિઝન શરૂ

Ahmedabad Samay

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ મારી એન્ટ્રી,એક સપ્તાહ સ્કૂલ બંધ રાખવા સૂચના અપાઇ

Ahmedabad Samay

અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગિરી 2027 સુધીમાં થઈ શકે છે પૂર્ણ

Ahmedabad Samay

આરોગ્ય તંત્ર જાગ્યું. એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનો ટેસ્ટ શરૂ કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો