December 12, 2025
ગુજરાત

બાળકના દફતરનું વજન બાળકના વજન કરતા ૧૦મા ભાગનું રાખવાનો આદેશ કરાયો

શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓના દફતરનો ભાર વધતો જાય છે અને સાથે અધધ હોમવર્કના દબાણથી હાલનો વિદ્યાર્થી આ ભણતરના ભારમાં બેવડ વળી જાય છે. જયારે નિયમ મુજબ અને તજજ્ઞના અભ્‍યાસ બાદ દફતરનું વજન બાળકના વજનના દસમા ભાગથી વધુ હોવું જોઇએ નહીં અને હોમવર્ક ધોરણ પ્રમાણે ૧૦ મિનિટથી વધુ વધવું જોઇએ નહીં.

બાળકના દફતરનું વજન બાળકના વજન કરતા ૧૦મા ભાગનું રાખવાનો આદેશ કરાયો છે. નરોડાના ધારાસભ્‍ય પાયલ કુકરાણીએ ભાર વિનાના ભણતર અંગે કરેલી રજૂઆત બાદ ડીઈઓએ આદેશ કર્યો હતો. સ્‍કૂલોને બિનજરૂરી પુસ્‍તકો ના મંગાવવા ડીઈઓ રોહિત ચૌધરીએ તમામ શાળાઓને આદેશ કર્યો હતો.

નરોડાના ધારાસભ્‍ય પાયલ કુકરાણીએ રજૂઆત કરી હતી કે, ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓને એક એક વિષય માટે ત્રણ નોટબુક અને વર્કબુક લાવવા માટે કહેવામાં આવે છે. દફતરનું વજન કેટલાક કિસ્‍સાઓમાં બાળકના વજન કરતા વધારે હોય છે. જેના કારણે બાળકોને દફતર ઉંચકવામાં તકલીફ ના પડે એ માટે વ્‍યવસ્‍થા ગોઠવવા રજૂઆત કરી હતી. અમદાવાદ શહેરની સ્‍કૂલોને લેખિત સૂચના આપવા અપીલ કરી હતી.

ડીઈઓએ કહ્યું કે આરટીઈ ના નિયમ મુજબ ૨૦૧૮માં પણ શિક્ષણ વિભાગે દફતરના વજન અંગે તમામને સૂચના આપેલી છે. વિદ્યાર્થીઓ બિનજરૂરી પુસ્‍તકો ના લાવે તેનું ધ્‍યાન રાખવા માટે આ આદેશ કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, તબીબોના તારણ જોતા ભારે દફતરના કારણે કરોડના મણકાઓને નુકસાન થઇ શકે છે. વાંકા વળવામાં તકલીફ થાય, સ્‍નાયુઓ ખેંચાય, કુર્ચાઓને નુકસાન, ઉઠવા, બેસવા, ચાલવામાં તકલીફ, ખંભાના સ્‍નાયુઓ અને હાડકાને તકલીફ, નાની ઉંમરે સ્‍પોન્‍ડી લાઇટીસ અને ઓસ્‍ટીઓઆયોઇટીસ થઇ શકે છે.

Related posts

કોરોના સંકટમાં આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

શહીદ-એ-આઝમ વીર ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ ના શહીદ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને  ભગતસિંહ ને ભારત રત્ન આપવા માંગ કરવામાં આવી

Ahmedabad Samay

બાપુનગરમાં આવેલ ગજાનંદચાલીમાં દિપુ સિંધીના આંતકથી લોકો થયા બેહાલ.

Ahmedabad Samay

ભાજપે પ્રથમ યાદી કરી જાહેર, આજે સવારે ભાજપે ૧૮૨ બેઠકો પૈકી ૧૦૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.

Ahmedabad Samay

ગાંધીનગર: વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MoU થયાં

Ahmedabad Samay

અંગદાનનો અમદાવાદથી પ્રારંભ, ગત વર્ષે 203 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું થયું દાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો