અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવે છે, જેના ભાગરૂપે ઝોનમાંથી આવેલ રિપોર્ટના અનુસંધાને કંટેઇન્મેન્ટ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે,
હાલમાં અમદાવાદ શહેરમાં કુલ 45 માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તાર અમલમાં છે, તેમજ હાલ નોંધાયેલ કોવીડ 19ના કેસોને ધ્યાને લઇ આજ નવા 9 વિસ્તારને માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે અને 4 માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તારને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવે છે
