August 13, 2026
ધર્મગુજરાત

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિ એ મુખ્ય તહેવારોમાં એક પ્રમુખ વ્રત – તહેવાર છે. તારીખ ૧૧/૦૩/૨૦૨૧ ને ગુરુવારના રોજ મહાશિવરાત્રિનો તહેવાર આવી રહેલ છે.

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી.
નિમેષભાઈ જોષી

જે કોઈ શિવભક્ત ભક્તિભાવથી વિધિવિધાન પૂર્વક આ મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેને ભોલેનાથની અસિમ કૃપા પ્રાપ્ત થાય છે, રોગ અને દોષ થી મુક્તિ મળે છે. સારું આરોગ્ય અને લાંબુ આયુષ્ય પણ પ્રાપ્ત થાય છે.

ચાર પ્રહરની પુજા વિધિ માટેનો સમય

પ્રથમ પ્રહર : સાંજે ૦૬:૨૭ થી રાત્રે ૦૯:૨૯ સુધી

દ્વિતીય પ્રહર : રાત્રે ૦૯:૨૯ થી રાત્રે ૧૨:૩૧ સુધી

તૃતીય પ્રહર : રાત્રે ૧૨:૩૧ થી રાત્રે ૦૩:૩૨ સુધી

ચતુર્થ પ્રહર : રાત્રે ૦૩:૩૩ થી સવારે ૦૬:૩૪ સુધી

ચાર પ્રહરની પુજા વિધિ

ભગવાન ભોલેનાથ ની પ્રસન્નતા મેળવવા માટે મહાશિવરાત્રિના રોજ શિવલિંગ ઉપર દૂધ, દહી, ઘી, મધ,શેરડીનો રસ,ગંગાજળ, નાળિયેર ના પાણી, વગેરે નો ઉપયોગ કરીને અભિષેક કરવામાં આવે છે, બિલીપત્ર ચઢાવવામાં આવે છે. લોકો ભગવાન ને ભાંગ ની પ્રસાદી ચઢાવે છે. ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, ફળ, આરતી વગેરે અર્પણ કરીને ભગવાન શિવ શંકર ની આરાધના કરવામાં આવે છે અને “ૐ નમઃ શિવાય” , તેમજ મૃત્યુંજય મંત્ર નો જાપ કરવામાં આવે છે.

https://youtube.com/channel/UCkcMYEGbSW60c-T21MqSIrg

શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોશી – મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

નવરાત્રી દરમિયાન જાહેરમાં નહિ યોજી શકાય ગરબા

Ahmedabad Samay

વેહચેલો માલ પરત ન લેવો એ ગુન્હો, વ્હેચેલો માલ દુકાનદાર પરત લેવાનો ઈનકાર કરે કરો ફરિયાદ

Ahmedabad Samay

મહાભિયાન હાથ ધરાયુ, રાજ્ય સરકારે માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું.

Ahmedabad Samay

જૂનાગઢની ખાનગી શાળા અચાનક બંધ કરવાના સંચાલકોના નિર્ણયના લીધે RTE હેઠળના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાતા વાલીઓનો હોબાળો

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન

Ahmedabad Samay

કૃષ્ણનગર ખાતે આવેલ જી.ડી સ્કૂલ પાસે પ્રાથના હોસ્પિટલની આજ થી શુભ શરૂઆત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો