August 7, 2026
ગુજરાત

વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા દ્વારા ગૌ રક્ષા મુદ્દે અમદાવાદના સંગઠનો સાથે મુલાકાત લીધી

વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા અધ્યક્ષ.
શ્રી ઓમકારસિંહ ઠાકુર

અમદાવાદમાંઉત્તર પ્રદેશના મુખ્ય અતિથિ, શ્રી ઓમકારસિંહ ઠાકુર (જીલ્લા-જાલૌન) દ્વારા રાષ્ટ્રીય માં ભવાની રાજપૂતના સંઘ, શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ અને અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ સાથે ગૌ માતાના રક્ષણ માટે ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદના સંગઠનો દ્વારા ઓમકારસિંહ ઠાકુરનો ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગૌ રક્ષણ ના મુખ્ય મુદા પર બેઠક યોજાઇ હતી જેમાં ઓમકારસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે આપણે ગૌ માતા ની રક્ષા કેવી રીતે કરીશું કેવીરીતે બચાવીશુ અને સૌથી મોટી વાત તો એ છે કે ગાય ને ગૌ માતા માનવું.

 

કહેવામાં આવે છે કે ગાય માંતા માં ૩૩ કરોડ દેવી દેવતાઓ વસે છે તો એ ગાય આપના માટે કેવીરીતે સમસ્યા હોય શકે છે.  પેઢી માટે જણાવ્યું હતું કે યુવા નો વિપરીત શબ્દ થાય છે વાયુ અને વાયુ નો વેગ જ્યાં પણ જાય છે ત્યાં તેની લહેર જોવા મળે છે,  યુવાનો એ પોતાની શક્તિ ઓળખવી જોઈએ અને તેનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરવો જોઈએ યુવાનીમાં અમુક લોકો અવળા માર્ગે દોરી જતા હોય છે તેમને યોગ્ય માર્ગ દર્શન આપવું જોઈએ,

વધુ માં તેમને જણાવ્યું હતું કે જુદા જુદા વિસ્તારોમાં જોવા મળ્યું છે કે ગૌ માતાને ઇજા થતાં લોકો જોતા જ રહેછે અને મદદ કરવાના બદલે કોઈ સંસ્થા ને ફોન કરતા હોય છે અને રાહ જોતા હોય છે પરંતુ આવા લોકોને જણાવવા માંગુ છું કે ગાય તમારી પણ માતા છે અને તમારી પણ ફરજ છે તેના માટે તો આવી કોઇ ગંભીર હાલતમાં ગૌ માતા દેખાય તો તેમની રક્ષા કરવા પહેલા જાતેજ મહેનત કરતા શીખો.

Related posts

રાજ્ય સરકાર દ્વારા દિવાળી વેકેશન જાહેર કરાયુ

Ahmedabad Samay

અન્ન સેવા એજ પ્રભુ સેવા, શ્રી બાપા સીતારામ રામરોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોજ ૮૦૦ ટિફિન ની ફ્રી સેવા અપાય છે

Ahmedabad Samay

નવા વાડજ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

સૌરાષ્ટ્રમાંથી ૪૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

Ahmedabad Samay

આપ ની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી

Ahmedabad Samay

તિસ્તા સેતલવાડ બાદ પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારને ગુજરાત રમખાણોના કેસમાં મળ્યા જામીન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો