June 21, 2026
ગુજરાત

અન્ન સેવા એજ પ્રભુ સેવા, શ્રી બાપા સીતારામ રામરોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોજ ૮૦૦ ટિફિન ની ફ્રી સેવા અપાય છે

આજના જમાનામાં લોકોને રહેવા માટે ગમે ત્યાં ઊંઘવા કે રહેવા ઓટલો તો મળી રહેછે પણ રોટલો નથી મળતો, માટે તો કહેવાય છે અન્ન સેવા એજ પ્રભુ સેવા આવીજ કઈક ઉત્તમ સેવા કરાય છે શ્રી બાપાસીતારામ રામરોટી ટ્રસ્ટ દ્વારા, શ્રી બાપાસીતારામ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલના કિડની હોસ્પિટલમાં દર્દી ને અનુકૂળ આવે તેવું અને દર્દીના સાથે રહેતા વ્યક્તિ માટે સવાર અને સાંજ એમ બે સમયનું ગરમા ગરમ ટીફીન ની સેવા કરવામાં આવે છે, સવાર સાંજનું થઇ અંદાજીત ૭૦૦ થી ૮૦૦ જેટલા વ્યક્તિનું ટિફિન બનવવામાં આવે છે, ભોજનમાં ક્યારેક દાળ ભાત તો ક્યારેક કઢી ખીચડી આપવામાં આવે છે, એટલુંજ નહિ અઠવાડિયામાં એક વાર મીઠાઈ પણ આપવામાં આવે છે, ભોજન પણ એટલું સ્વાદિષ્ટ હોય છે કે લોકો આંગળીઓ ચાટતા રહી જાય છે ભોજન સ્વાદિષ્ટ હોવાનું એક કારણ એ પણ હોઇ શકે છે કે ભોજન બનાવવાની શરૂઆત બાપાસીતારામની આરતી થી કરવામાં આવે છે,
જ્યાં ભોજન બનાવવામાં આવે છે એ જગ્યા પણ સ્વચ્છતા માટે પૂરેપૂરો ધ્યાન રાખવામાં આવે છે.
કહેવાય છે અન્ન સેવા એજ પ્રભુ સેવા આવીજ કઈક ઉત્તમ સેવા કરાય છે શ્રી બાપાસીતારામ રામરોટી ટ્રસ્ટ દ્વારા, શ્રી બાપાસીતારામ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલના કિડની હોસ્પિટલમાં દર્દી ને અનુકૂળ આવે તેવું અને દર્દીના સાથે રહેતા વ્યક્તિ માટે સવાર અને સાંજ એમ બે સમયનું ગરમા ગરમ ટીફીન ની સેવા કરવામાં આવે છે, સવાર સાંજનું થઇ અંદાજીત ૭૦૦ થી ૮૦૦ જેટલા વ્યક્તિનું ટિફિન બનવવામાં આવે છે,

ભોજન પણ એટલું સ્વાદિષ્ટ હોય છે કે લોકો આંગળીઓ ચાટતા રહી જાય છે ભોજન સ્વાદિષ્ટ હોવાનું એક કારણ એ પણ હોઇ શકે છે કે ભોજન બનાવવાની શરૂઆત બાપાસીતારામની આરતી થી કરવામાં આવે છે,
જ્યાં ભોજન બનાવવામાં આવે છે એ જગ્યા પણ સ્વચ્છતા માટે પૂરેપૂરો ધ્યાન રાખવામાં આવે છે. કોરોના ગાઈડલાઈન ની પણ પૂરેપૂરી ધ્યાન રાખવામાં આવે છે, આ ટ્રસ્ટમાં અંદાજીત ૩૦ થી ૩૫ જેટલા લોકો મળીને આ ટિફિન સેવા કરેછે જેમાં વયસ્કર લોકોનો પણ સમાવેશ થાય છે. ઉંમર વધુ હોવા છતાં આરામ કરવાના બદલે સવારે વહેલા આવીને શાક સ્મરવાનું, શાકભાજી સાફ કરવાનું જે અનુકૂળ આવે તે કાર્ય કરવામાં આવેછે અને સેવા કરવામાં આવે છે, મહિલાઓ દ્વારા રોટલી વણવાનું કામ કરવામાં આવે છે રોજની આશરે ૩૦ થી ૪૦ કિલ્લો જેટલા લોટની રોટલી બનાવવામાં આવે છે.

ટ્રસ્ટ દ્વારા ૦૩ વર્ષથી નિરંતર સેવા આપવામાં આવે છે અને આપને જણાવી દઇએ કે ત્રણ વર્ષથી આ ટ્રસ્ટ દ્વારા અજુ શુધી પ્રચાર કરવામાં આવ્યું નથી ફક્ત અમદાવાદ સમય જ પહેલું એવું મીડિયા છે જેને શ્રી બાપાસીતારામ રામરોટી ટિફિન સેવા ટ્રસ્ટએ કવરેજ કરવાની પરવાનગી આપી છે, અમદાવાદ સમય શ્રી બાપાસીતારામ ટ્રસ્ટને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવે છે અને આવી સેવા નિરંતર ચલાવતા રહે અને જરૂરિયાત મંદ ને પોતાની સેવા આપતી રહે તેવી આશા રાખે છે.

Related posts

વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા અરવિંદ મિલ્સ ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું

Ahmedabad Samay

સરકારને નવો કલેવર આપવા તથા નવા ચહેરાઓ અને યુવાવર્ગને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો

Ahmedabad Samay

GSRTC એ રેલવે અને વિમાન જેવી “ફૂડ ઓન વહીલ” સેવા ચાલુ કરી

Ahmedabad Samay

ગુજરાતમાં બેટ દ્વારકા અને શિયાળ બેટ આઇલેન્ડ ડેવલોપ કરાશે

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ દ્વારા રામ મંદિર નિર્માણ માટે અગિયાર લાખ દાન કરાયું

Ahmedabad Samay

વૃદ્ધ મહિલા ડોક્ટર પાસેથી ૧૯ કરોડથી વધુ ડિજિટલ એરેસ્ટ મામલે સ્ટેટ સાયબર સેલે વધુ ૮ આરોપીઓની ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો