August 7, 2026
ગુજરાત

અન્ન સેવા એજ પ્રભુ સેવા, શ્રી બાપા સીતારામ રામરોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોજ ૮૦૦ ટિફિન ની ફ્રી સેવા અપાય છે

આજના જમાનામાં લોકોને રહેવા માટે ગમે ત્યાં ઊંઘવા કે રહેવા ઓટલો તો મળી રહેછે પણ રોટલો નથી મળતો, માટે તો કહેવાય છે અન્ન સેવા એજ પ્રભુ સેવા આવીજ કઈક ઉત્તમ સેવા કરાય છે શ્રી બાપાસીતારામ રામરોટી ટ્રસ્ટ દ્વારા, શ્રી બાપાસીતારામ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલના કિડની હોસ્પિટલમાં દર્દી ને અનુકૂળ આવે તેવું અને દર્દીના સાથે રહેતા વ્યક્તિ માટે સવાર અને સાંજ એમ બે સમયનું ગરમા ગરમ ટીફીન ની સેવા કરવામાં આવે છે, સવાર સાંજનું થઇ અંદાજીત ૭૦૦ થી ૮૦૦ જેટલા વ્યક્તિનું ટિફિન બનવવામાં આવે છે, ભોજનમાં ક્યારેક દાળ ભાત તો ક્યારેક કઢી ખીચડી આપવામાં આવે છે, એટલુંજ નહિ અઠવાડિયામાં એક વાર મીઠાઈ પણ આપવામાં આવે છે, ભોજન પણ એટલું સ્વાદિષ્ટ હોય છે કે લોકો આંગળીઓ ચાટતા રહી જાય છે ભોજન સ્વાદિષ્ટ હોવાનું એક કારણ એ પણ હોઇ શકે છે કે ભોજન બનાવવાની શરૂઆત બાપાસીતારામની આરતી થી કરવામાં આવે છે,
જ્યાં ભોજન બનાવવામાં આવે છે એ જગ્યા પણ સ્વચ્છતા માટે પૂરેપૂરો ધ્યાન રાખવામાં આવે છે.
કહેવાય છે અન્ન સેવા એજ પ્રભુ સેવા આવીજ કઈક ઉત્તમ સેવા કરાય છે શ્રી બાપાસીતારામ રામરોટી ટ્રસ્ટ દ્વારા, શ્રી બાપાસીતારામ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલના કિડની હોસ્પિટલમાં દર્દી ને અનુકૂળ આવે તેવું અને દર્દીના સાથે રહેતા વ્યક્તિ માટે સવાર અને સાંજ એમ બે સમયનું ગરમા ગરમ ટીફીન ની સેવા કરવામાં આવે છે, સવાર સાંજનું થઇ અંદાજીત ૭૦૦ થી ૮૦૦ જેટલા વ્યક્તિનું ટિફિન બનવવામાં આવે છે,

ભોજન પણ એટલું સ્વાદિષ્ટ હોય છે કે લોકો આંગળીઓ ચાટતા રહી જાય છે ભોજન સ્વાદિષ્ટ હોવાનું એક કારણ એ પણ હોઇ શકે છે કે ભોજન બનાવવાની શરૂઆત બાપાસીતારામની આરતી થી કરવામાં આવે છે,
જ્યાં ભોજન બનાવવામાં આવે છે એ જગ્યા પણ સ્વચ્છતા માટે પૂરેપૂરો ધ્યાન રાખવામાં આવે છે. કોરોના ગાઈડલાઈન ની પણ પૂરેપૂરી ધ્યાન રાખવામાં આવે છે, આ ટ્રસ્ટમાં અંદાજીત ૩૦ થી ૩૫ જેટલા લોકો મળીને આ ટિફિન સેવા કરેછે જેમાં વયસ્કર લોકોનો પણ સમાવેશ થાય છે. ઉંમર વધુ હોવા છતાં આરામ કરવાના બદલે સવારે વહેલા આવીને શાક સ્મરવાનું, શાકભાજી સાફ કરવાનું જે અનુકૂળ આવે તે કાર્ય કરવામાં આવેછે અને સેવા કરવામાં આવે છે, મહિલાઓ દ્વારા રોટલી વણવાનું કામ કરવામાં આવે છે રોજની આશરે ૩૦ થી ૪૦ કિલ્લો જેટલા લોટની રોટલી બનાવવામાં આવે છે.

ટ્રસ્ટ દ્વારા ૦૩ વર્ષથી નિરંતર સેવા આપવામાં આવે છે અને આપને જણાવી દઇએ કે ત્રણ વર્ષથી આ ટ્રસ્ટ દ્વારા અજુ શુધી પ્રચાર કરવામાં આવ્યું નથી ફક્ત અમદાવાદ સમય જ પહેલું એવું મીડિયા છે જેને શ્રી બાપાસીતારામ રામરોટી ટિફિન સેવા ટ્રસ્ટએ કવરેજ કરવાની પરવાનગી આપી છે, અમદાવાદ સમય શ્રી બાપાસીતારામ ટ્રસ્ટને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવે છે અને આવી સેવા નિરંતર ચલાવતા રહે અને જરૂરિયાત મંદ ને પોતાની સેવા આપતી રહે તેવી આશા રાખે છે.

Related posts

અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી

Ahmedabad Samay

2030માં મેજબાની કરવા સ્કોટલેન્ડે સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ભારતને સોંપી દીધો છે.

Ahmedabad Samay

LPG પુરવઠા પર લાદવામાં આવેલા પ્રતિબંધો લગભગ સંપૂર્ણપણે હટાવી દીધા, ગ્રાહકો હવે પહેલાની જેમ LPGનો ઉપયોગ કરી શકશે.

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું સ્ટેડિયમનું નામ કેમ બદલાયું

Ahmedabad Samay

અમદાવાદ – તથ્ય પટેલના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર થતા પોલીસ આ દિશામાં કરશે તપાસ

Ahmedabad Samay

જૂનાગઢ: બે માળની ઈમારત ધરાશાયી, 6 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો