March 23, 2026
ગુજરાત

દર્શકો વિના મેચ રમવાના નિર્ણયના કારણે ટિકિટોનું રિફંડ કરવાનું ચાલુ કરાયું

કોરોના કેસ વધતા મેચ દર્શકો વિના રમાવાની હોવાથી દર્શકો દ્વારા બુક કરવામાં આવેલી ટિકિટોને રિફંડ પરત કરવાનું નિર્ણય કરવામાં આવ્યું હતું

ઓનલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટ માટે  ઓનલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટની મૂળ કિંમત જે એકાઉન્ટ અને જે મોડથી ટિકિટ ખરીદવામાં આવી હશે તે પ્રમાણે રીફંડ કરવામાં આવશે . રીફંડ પ્રક્રિયા આજ રોજ બપોરે 3.00 શરૂ કરી છે અને માર્ચ 22 , 2021 ના રોજ સાંજે 4.00 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે .

ઓફલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટ માટે ઓફલાઇન મોડથી બૂક કરવામાં આવેલી ટિકિટના રીફંડની પ્રક્રિયા માર્ચ 18 , 2021 થી માર્ચ 22 , 2021 સુધી સવારે 10.00 વાગ્યાથી સાંજના 4.00 વાગ્યા સુધી કરવામાં આવશે . ઓફલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટનું રિફંડ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગેટ નંબર 1 પર આવેલી બોક્સ ઓફિસમાંથી આપવામાં આવશે . ઓફલાઇન મોડથી બૂક કરવામાં આવેલી ટિકિટનું રીકુંડ તેની છાપેલી કિંમત ( ફેસ વેલ્યુ ) મુજબ જેન્યુઇન / ઓરિજનલ ટિકિટ અને રીફંડ લેનાર વ્યક્તિનું ફોટો સાથેનું માન્ય ઓળખપત્ર રજૂ કરવાથી આપવામાં આવશે . ફિઝકલ ટિકિટની ચકાસણી ટિકિટ પર આવેલા સિક્યોરીટી ફિચર્સને આધારે કરવામાં આવશે .

નોંધ: કોમ્પ્લીમેન્ટરી ટિકિટ માટે રીફંડ લાગુ પડશે નહીં .

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ પૂતળા દહન કરવામા આવ્યુ

Ahmedabad Samay

નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાના આયોજન ને લઇ આજે લેવાશે નિર્ણય

Ahmedabad Samay

જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay

લોકડાઉન ૨ માં વધુ રાહત, વધુ કલાકો માટે દુકાનો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા મંજૂરી

Ahmedabad Samay

મોરબીમાં કુંભારી કળા સાથે જોડાયેલા લોકો માટે ખુશખબર, માટીની વસ્તુઓ વેચવા માટે મળશે ISI માર્ક, જાણો ‘મિટ્ટીકુલ’ના પ્રણેતા મનસુખભાઇ પ્રજાપતિએ શું કહ્યું?

Ahmedabad Samay

રિલીફ રોડ પર આવેલા આકાર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રેડીમેઈડ ગારમેન્ટ બનાવતી દુકાનમાં લાગી આગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો