June 24, 2026
દેશરાજકારણ

અશોક ગેહલોતે ચિરંજીવી હેલ્થ ઈન્સોરન્સ સ્કીમની જાહેરાત કરી

ચિરંજીવી હેલ્થ ઈન્સોરન્સ સ્કીમ હેઠળ રાજ્યના દરેક પરિવારને પ્રતિ વર્ષ રુ.5 લાખનું વીમા કવચ મળશે. આ યોજના માટેનું રજિસ્ટ્રેશન શરુ કરી દેવાયું છે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કરીને જણાવ્યું કે દેશમાં રાજસ્થાન એવું પહેલું રાજ્ય બન્યું છે કે જ્યાં દરેક પરિવારને દર વર્ષે 5 લાખનું વીમા કવચ મળશે.લોકો નોંધણી કરાવી શકે છે અને કેશલેસ ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવી શકે છે. તેમણે કહ્યું કે સરકારની કેશલેસ ટ્રીટમેન્ટ માટેની નોધણી  શરુ કરાઈ છે,

મુખ્યમંત્રી ગેહલોતે જણાવ્યું કે રાજ્યના તમામ નાગરિકોને મેડિકલ સુવિધા પૂરી પાડવા માટેની આ સૌથી મોટી હેલ્થ સ્કીમ છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દરેક જિલ્લાને ફંડ પુરુ પાડશે. મુખ્યમંત્રીએ રાજ્યના દરેક જિલ્લાની સ્થાનિક જરુરિયાતો અનુસાર જાહેર સુવિધા સર્જન સંબંધિત કામ માટે ફંડ પુરુ પાડવાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે સીએમ ગેહલોતે રાજ્યના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી જે આજથી અમલી બની છે. આ યોજનાના અમલીકરણ અને મંજૂરી માટે રાજ્ય સ્તરે ગ્રામીણ વિકાસ વિભાગ અને તો જિલ્લા સ્તરે જિલ્લા પરિષદ નોડલ એજન્સી તરીકે કામ કરશે.

Related posts

ભારતે છેલ્લા કેટલાક દિવસોમાં સિંધુ જળ સંધિને સ્‍થગિત કર્યા પછી પાકિસ્તાન ની પરિસ્‍થિતિ વધુ ખરાબ થઈ

Ahmedabad Samay

આ વર્ષે નાતાલ સુધી તમામ તહેવારો નહી ઉજવાય, ધંધાધારીઓ ને મોટો ફટકો

Ahmedabad Samay

ભાજપમાં નરહરિ અમીન સહિત ૦૩ બેઠક મેળવી જ્યારે કોંગ્રેસ ને ફક્ત ૦૧ બેઠક

Ahmedabad Samay

ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ:સીઆર પાટીલ

Ahmedabad Samay

બેંગલુરુ-આસામ કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન પટરી પરથી ઉતરી

Ahmedabad Samay

વિશ્વ કરતા ભારતમાં મોંઘવારી ઓછી. અમેરિકા જેવા વિકસિત દેશમાં મોંઘવારી સાતમા આસમાને

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો