સોશ્યલ મીડિયામાં એક અફવા ફેલાઈ રહી છે કે મેં મહિનામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીકરાના લગ્ન છે, ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ સોશ્યલ મીડિયામાં ફેલાતી અફવાઓનું ખંડન કર્યું છે,

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મારા દીકરાના લગ્ન મેં મહિનામાં હોવાની વાતો પાયાવિહોણી છે,આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મેં મહિનામાં કોઈ આયોજન છે, આ માત્ર સોશ્યલ મીડિયામાં વહેતા થયેલા ફેક ન્યુઝ છે, અત્યારે મારુ અને મારી સરકારનું એકમાત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે
