વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના નેતાઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. કમલમમાં નેતાઓ સાથે બેઠક પૂર્ણ કરી PM મોદી રવાના થયા હતા., વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કમલમમાં બેઠક બાદ પ્રદેશ નેતૃત્વ વચ્ચે બેઠક યોજાઇ હતી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને હર્ષ સંઘવી વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલા આ મહત્વની બેઠક કહી શકાય.છે
કમલમ ખાતે લોકસભા ચૂંટણી 2024ને લઈ આગામી રણનીતિ અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.આઈ.કે.જાડેજા, સંગઠન મહામંત્રી રત્નાકરજીની બેઠકમાં સૂચક હાજર રહ્યા હતા. પીએમ મોદીની મુલાકાત અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આપી માહિતી હતી
તેમણે જણાવ્યું કે પીએમ મોદીના આવવાથી કાર્યકરોનો જુસ્સો વધ્યો હતો. 25 કમિટીઓનાં 195 સભ્યો સાથે પીએમ મોદીએ ચર્ચા કરી હોવાનું પાટીલે જણાવ્યું. ખાસ કરીને પ્રચારની કામગીરી અંગે પીએમ મોદીએ પોતાના સમયના અનુભવ અંગે ચર્ચા કરી હોવાનું સામે આવ્યું હતું.
