May 12, 2026
ગુજરાત

શારદાબેન હોસ્પિટલના તંત્રની માનવતા મરી,કોરોના પોઝિટિવ દીકરાને લઈ ‘ માં ‘ હોસ્પિટલની બહાર રસ્તા પર બેઠી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે અન્ય એકમાં પેશન્ટ આવશે તેમને જ દાખલ કરવામાં આવશે. હાલ સ્થિતિ એવી છે કે 108 પર ફોન કર્યાના દસ કલાક સુધી વાન આવતી નથી. જો આવી સ્થિતિમાં કોઇ સ્વજન દર્દીને લઇને હોસ્પિટલ પહોંચી જાય તો પણ હોસ્પિટલ દ્વારા તેમને એડમીટ કરવામાં આવતા નથી.

સરકાર દ્વારા સબ સલામત હોવાનું વારંવાર રાગ આલાપવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ વાસ્તવિકતા ખૂબ જ ભયંકર છે. શારદાબેન હોસ્પિટલનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક માતા પોતાના કોરોના પોઝિટિવ દીકરાને લઈને શારદાબેન હોસ્પિટલની બહાર રસ્તા પર બેસી રહી હતી. માતાએ વારંવાર આજીજી કરી તેમ છતાં શારદાબેન હોસ્પિટલના સૂત્રોએ જાણે માનવતા મરી પરવારી હોય તેમ દરવાજા બંધ કરી તમાશો જોતા રહ્યા. જો કે શારદાબેન હોસ્પિટલ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી.

Related posts

મેઘાણીનગર શાકમાર્કેટમાં ભાડું વસૂલી કરતા લોકોની તાનાશાહીનો મેઘાણીનગર પોલીસ દ્વારા આવ્યો અંત

Ahmedabad Samay

આજ રાત્રીથી સાઉદી અને યુ.કે.ની વિમાની સેવા ૩૧ ડિસેમ્બર સુધી બંધ

Ahmedabad Samay

ચેતી જજો સાબરમતી નદી, કાંકરીયા લેક અને ચંડોળા તળાવમાંથી મળ્યો કોરોના

Ahmedabad Samay

દેશની સૌથી મોટી દૂધ ઉત્‍પાદક બ્રાન્‍ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્‍કાલિક રાહત મળશે.

Ahmedabad Samay

સરકારને નવો કલેવર આપવા તથા નવા ચહેરાઓ અને યુવાવર્ગને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો

Ahmedabad Samay

સિવિલ હોસ્પિટલનો ગેટ નં:૦૬ બંધ રહેતા ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો