June 27, 2026
ગુજરાત

શારદાબેન હોસ્પિટલના તંત્રની માનવતા મરી,કોરોના પોઝિટિવ દીકરાને લઈ ‘ માં ‘ હોસ્પિટલની બહાર રસ્તા પર બેઠી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે અન્ય એકમાં પેશન્ટ આવશે તેમને જ દાખલ કરવામાં આવશે. હાલ સ્થિતિ એવી છે કે 108 પર ફોન કર્યાના દસ કલાક સુધી વાન આવતી નથી. જો આવી સ્થિતિમાં કોઇ સ્વજન દર્દીને લઇને હોસ્પિટલ પહોંચી જાય તો પણ હોસ્પિટલ દ્વારા તેમને એડમીટ કરવામાં આવતા નથી.

સરકાર દ્વારા સબ સલામત હોવાનું વારંવાર રાગ આલાપવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ વાસ્તવિકતા ખૂબ જ ભયંકર છે. શારદાબેન હોસ્પિટલનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક માતા પોતાના કોરોના પોઝિટિવ દીકરાને લઈને શારદાબેન હોસ્પિટલની બહાર રસ્તા પર બેસી રહી હતી. માતાએ વારંવાર આજીજી કરી તેમ છતાં શારદાબેન હોસ્પિટલના સૂત્રોએ જાણે માનવતા મરી પરવારી હોય તેમ દરવાજા બંધ કરી તમાશો જોતા રહ્યા. જો કે શારદાબેન હોસ્પિટલ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી.

Related posts

૪ મે બાદ અનેક જિલ્લામાં રાહત

Ahmedabad Samay

પેટ્રોલ પંપના માલિકે ડીપોઝીટ પરત નહિ આપતા પંચરની દુકાનના માલિકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે

Ahmedabad Samay

૦૩ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનારની નરોડા પોલીસે ગણતરીના કલાકોમા જ આરોપીની ધરપકડ કરી હતી.

Ahmedabad Samay

શું તમે ક્યારેય વિચાર્યું છે કે સદીઓ પહેલાંના કાળમાં, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે થતું હતું? શુ આજના જેમ જ લેખિત પરીક્ષા લેવાતી ?

Ahmedabad Samay

દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો