August 12, 2026
ગુજરાત

શારદાબેન હોસ્પિટલના તંત્રની માનવતા મરી,કોરોના પોઝિટિવ દીકરાને લઈ ‘ માં ‘ હોસ્પિટલની બહાર રસ્તા પર બેઠી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે અન્ય એકમાં પેશન્ટ આવશે તેમને જ દાખલ કરવામાં આવશે. હાલ સ્થિતિ એવી છે કે 108 પર ફોન કર્યાના દસ કલાક સુધી વાન આવતી નથી. જો આવી સ્થિતિમાં કોઇ સ્વજન દર્દીને લઇને હોસ્પિટલ પહોંચી જાય તો પણ હોસ્પિટલ દ્વારા તેમને એડમીટ કરવામાં આવતા નથી.

સરકાર દ્વારા સબ સલામત હોવાનું વારંવાર રાગ આલાપવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ વાસ્તવિકતા ખૂબ જ ભયંકર છે. શારદાબેન હોસ્પિટલનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક માતા પોતાના કોરોના પોઝિટિવ દીકરાને લઈને શારદાબેન હોસ્પિટલની બહાર રસ્તા પર બેસી રહી હતી. માતાએ વારંવાર આજીજી કરી તેમ છતાં શારદાબેન હોસ્પિટલના સૂત્રોએ જાણે માનવતા મરી પરવારી હોય તેમ દરવાજા બંધ કરી તમાશો જોતા રહ્યા. જો કે શારદાબેન હોસ્પિટલ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી.

Related posts

‘મોદી સામે મમતાને પીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ’: શત્રુઘ્ન સિંહા

Ahmedabad Samay

રાજયના પોલીસ વડા દ્વારા વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી તમામને ચાંપતો બંદોબસ્ત ફાળવવા સૂચના

Ahmedabad Samay

છૂટ છાટ સાથે મીની લોકડાઉન લંબાય તેવી શક્યતા, સાંજે નિર્ણય લેવાશે

Ahmedabad Samay

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ પર વ્યાજ માફીની યોજના બહાર પાડી

Ahmedabad Samay

વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તથા વાવાઝોડા બાદ શું કરવું અને શું ન કરવું તે અંગેની માર્ગદર્શિકા અનુસરવી

Ahmedabad Samay

રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલ નિમણુંક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો