March 27, 2026
ગુજરાત

છૂટ છાટ સાથે મીની લોકડાઉન લંબાય તેવી શક્યતા, સાંજે નિર્ણય લેવાશે

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. આમ છતા હજુ કોરોના શાંત થયો નથી. આ સંજોગોમાં મીની લોકડાઉન ચાલુ રાખવુ કે છૂટ આપવી ? એ બાબતને લઈને સરકાર ભારે મુંઝવણમાં મુકાઈ હોવાનું જાણવા મળે છે.જો કે રાજ્ય સરકાર રાત્રી કર્ફયુ ચાલુ રાખે તેવી શકયતા હોવાનું જાણવા મળે છે. અત્રે એ નોંધનીય છે કે ગુજરાતના અનેક વેપારી સંગઠનોએ આર્થિક પ્રવૃતિ ધમધમતી કરવા માટે મીની લોકડાઉનમાં છૂટછાટની માંગણી કરી છે.

નોંધનીય છે કે રાજ્ય સરકારે મીની લોકડાઉન અને ૩૬ શહેરોમાં રાત્રી કર્ફયુની જાહેરાત કરી હતી તેની મુદત આવતીકાલે પુરી થઈ રહી છે. તેથી મીની લોકડાઉન અને રાત્રી કર્ફયુ વિશે આજે સાંજ સુધીમાં સરકાર કોઈ નિર્ણય જાહેર કરે તેવી શકયતા છે.

કોરોનાની ચેઈન તોડવા માટે હાલમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના ૮ મહાનગરો અને ૩૬ શહેરોમાં રાત્રીના ૮ થી સવારે ૬ સુધીનો કર્ફયુ ચાલી રહ્યો છે. એવુ જાણ વા મળે છે કે કોરોનાના કેસ ઘટી ગયા છે પરંતુ સરકાર કોઈ ખતરો લેવા માગતી નથી આથી રાત્રી કર્ફયુનો અમલ લંબાવવામાં આવે તેવી પુરેપુરી શકયતા છે.

આ ઉપરાંત રાજ્ય સરકારે મીની લોકડાઉન પણ જાહેર કર્યુ છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે દવા, કરીયાણુ, ડેરી, શાકભાજી, ફળફળાદી, ચશ્માની દુકાનો, હોટલો અને રેસ્ટોરન્ટને ટેઈકઅવેની છૂટ આપી છે જ્યારે બાકીની દુકાનો-બજારોને બંધ રાખવાનો આદેશ આપ્યો હતો જે હેઠળ તા. ૪ મેથી મોટાભાગની દુકાનો-બજારો બંધ છે જેના કારણે વેપારીઓ અકળાયા છે અને ગુજરાતભરમાંથી વેપારી એસોસીએશનોએ સરકારને અપીલ કરી છે કે દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવે. તેઓએ દલીલ કરી છે કે મંદીના સમયમાં દુકાનો બંધ રાખવાથી વેપારીઓની આર્થિક સ્થિતિ હલબલી ઉઠી છે. જેના કારણે હવે દુકાનો ખોલવાની મંજુરી મળવી જોઈએ.

વિવિધ વેપારી એસોસીએશનોની અપીલને ધ્યાને લઈને સરકાર મીની લોકડાઉનમાં છૂટછાટ આપશે તેવુ લાગે છે પરંતુ રાત્રી કર્ફયુનો અમલ ચાલુ રહે તેવુ જણાય છે.

સરકાર આ બાબતે આજ સાંજ સુધીમા કોઈ નિર્ણય જાહેર કરશે તેવુ જાણવા મળે છે. અત્રે એ નોંધનીય છે કે ૮ મહાનગરો ઉપરાંત રાજ્યના ૩૬ શહેરોમાં બધુ જ બંધ છે.

Related posts

અમદાવાદમાં આજથી વરસાદી માહોલ જામવાની શક્યતા, 7 દિવસ ઝાપટા જોવા મળશે

Ahmedabad Samay

યુ.કે આવતા અને જતા તમામ વિમાની ઉડયનો ઉપર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

Ahmedabad Samay

જી.સી.એસ. હોસ્પિટલમાં નાકના જવલ્લેજ જોવા મળતા કેન્સરના દર્દી ની સફળ સર્જરી કરવામાં આવી,નવું નાક બનાવી લગાવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડને કોવીડ હોસ્પિટલમાં તબદીલ કરવા માટે પ્રશાસન તરફથી તૈયારીઓ શરૂ, અન્ય રાજ્યોમાં પણ તૈયારીઓ શરૂ કરાઇ

Ahmedabad Samay

આજનો કોરોના અપડેટ

Ahmedabad Samay

અંબાજીના અંકિતકુમાર ધર્મેન્દ્રભાઈ રાજપુત યુપીએસસી પરીક્ષા પાસ કરીને તેમના પરિવારનું અને ગામનું નામ રોશન કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો