May 12, 2026
દેશ

કેન્દ્ર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઈન થઇ જાહેર

સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે.કે. વિજય રાઘવન દ્વારા બહાર પાડવામાં આવેલીમાર્ગદર્શિકા અનુસાર, વ્યકિતની છીંક અને ઉધરસથી૧૦ મીટરની અંતર સુધી પહોંચી શકે છે. કોરોના સંક્રમણને લગતી સલાહ મુજબ, કોઈપણ સંક્રમિત વ્યકિતની ઉધરસ અને છીંક એ વાયરસના ફેલાવા માટેનું મુખ્ય કારણ છે. આટલું જ નહીં, વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે વાયરસ ઉધરસ અને છીંક દ્વારા હવામાં ૧૦ મીટર દૂર જઈ શકે છે.

આવી સ્થિતિમાં, હંમેશાં માસ્ક પહેરવું જરૂરી છે. આ ઉપરાંત, કોરોનાને રોકવા માટે સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. માત્ર આ જ નહીં, છીંક આવવી અને ખાંસીથી સારવાર ન લેવાયેલા કોરોના ચેપગ્રસ્ત દર્દી દ્વારા પણ વાયરસ ફેલાય છે. આ સિવાય જમીન પર પડેલા છીંક અને કફમાંથી નીકળતા કણો પણ ચેપનું કારણ હોઈ શકે છે. એટલું જ નહીં, જમીન પર કફ, છીંક, ગળફા અને લાળના કણો લાંબા સમય સુધી વાયરસ ફેલાવવાનું કારણ બની શકે છે.ઉલ્લખેનીય છે કે દેશના ઘણા રાજયોમાં રસ્તાઓ પર થૂંકવા બદલ દંડ ભરવાની જોગવાઈ કરવામાં આવી છે.

સરકારી પેનલ દ્વારા હાઈ કોન્ટેકટ પોઈન્ટ્સની સતત અને નિયમિત સફાઇ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આમાં ડોર હેન્ડલ્સ, લાઇટનીસ્વીચો, ટેબલ, ખુરશીઓ વગેરે શામેલ છે. તેમને બ્લીચ અને ફિનાઇલ વગેરેથી સાફ કરવાની ભલામણ કરવામાં આવે છે. સરકારી સમિતિએ સૂચવ્યું છે કે લોકો કોરોનાથી બચવા માટે ડબલ માસ્ક અથવા એન૯૫ માસ્ક પહેરવા જોઈએ. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી સલાહ મુજબ, જો તમારે સુતરાઉ કપડા નો માસ્ક પહેરવો હોય તો તમારે બે પહેરવા જોઈએ, પરંતુ જો સર્જિકલ માસ્ક હોય તો માત્ર એક જ કામ કરી શકે છે.

ગાઇડલાઇન્સમાં જણાવ્યા મુજબ, જો તમે સર્જિકલ માસ્ક પહેરો છો, તો તેનો ઉપયોગ ફકત એક જ વાર કરી શકાય છે. જો કે, તમે ૫ વખત ડબલ માસ્ક પહેરી શકો છો. આટલું જ નહીં, વૈજ્ઞાનિક સલાહકાર દ્વારા જારી કરવામાં આવેલી સલાહમાં જણાવાયું છે કે વેન્ટિલેશનવાળા સ્થળોએ ચેપ ફેલાવાનું જોખમ ઓછું છે. તેથી, ઘરે અને કામના સ્થળે વેન્ટિલેશન વધુ સારૂ હોવું જોઈએ. તેનાથી સંક્રમણ ઓછું ફેલાય છે.

Related posts

ડ્રોન દ્વારા રસી પહોંચાડવા માટે ટ્રાયલ રન શરૂ કરનાર તેલંગણા દેશનું પ્રથમ રાજય

Ahmedabad Samay

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આખરે 52 વર્ષના લાંબા ઇંતજારનો અંત લાવયો, પ્રથમવાર ODI વર્લ્ડ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચી દીધો

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લાંબી મેરેથોન બેઠક યોજી, દેશમાં લોકડાઉન નહિ પરંતુ મોંઘવારી સામે લડવા કમર કસવી પડશે

Ahmedabad Samay

પતંજલિ એ શોધી કોરોના ને હરવાની દવા, પતંજલિ એ લોન્ચ કરી કોરોનીલ દવા,

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ લાગુ.લોકડાઉનમાં હશે ઘણી છૂટ

Ahmedabad Samay

ભોપાલ, ઈંદોર અને જબલપુરમાં ૨૧ માર્ચ રવિવારે સંપૂર્ણ લોકડાઉન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો