May 12, 2026
દેશ

કેન્દ્ર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઈન થઇ જાહેર

સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે.કે. વિજય રાઘવન દ્વારા બહાર પાડવામાં આવેલીમાર્ગદર્શિકા અનુસાર, વ્યકિતની છીંક અને ઉધરસથી૧૦ મીટરની અંતર સુધી પહોંચી શકે છે. કોરોના સંક્રમણને લગતી સલાહ મુજબ, કોઈપણ સંક્રમિત વ્યકિતની ઉધરસ અને છીંક એ વાયરસના ફેલાવા માટેનું મુખ્ય કારણ છે. આટલું જ નહીં, વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે વાયરસ ઉધરસ અને છીંક દ્વારા હવામાં ૧૦ મીટર દૂર જઈ શકે છે.

આવી સ્થિતિમાં, હંમેશાં માસ્ક પહેરવું જરૂરી છે. આ ઉપરાંત, કોરોનાને રોકવા માટે સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. માત્ર આ જ નહીં, છીંક આવવી અને ખાંસીથી સારવાર ન લેવાયેલા કોરોના ચેપગ્રસ્ત દર્દી દ્વારા પણ વાયરસ ફેલાય છે. આ સિવાય જમીન પર પડેલા છીંક અને કફમાંથી નીકળતા કણો પણ ચેપનું કારણ હોઈ શકે છે. એટલું જ નહીં, જમીન પર કફ, છીંક, ગળફા અને લાળના કણો લાંબા સમય સુધી વાયરસ ફેલાવવાનું કારણ બની શકે છે.ઉલ્લખેનીય છે કે દેશના ઘણા રાજયોમાં રસ્તાઓ પર થૂંકવા બદલ દંડ ભરવાની જોગવાઈ કરવામાં આવી છે.

સરકારી પેનલ દ્વારા હાઈ કોન્ટેકટ પોઈન્ટ્સની સતત અને નિયમિત સફાઇ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આમાં ડોર હેન્ડલ્સ, લાઇટનીસ્વીચો, ટેબલ, ખુરશીઓ વગેરે શામેલ છે. તેમને બ્લીચ અને ફિનાઇલ વગેરેથી સાફ કરવાની ભલામણ કરવામાં આવે છે. સરકારી સમિતિએ સૂચવ્યું છે કે લોકો કોરોનાથી બચવા માટે ડબલ માસ્ક અથવા એન૯૫ માસ્ક પહેરવા જોઈએ. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી સલાહ મુજબ, જો તમારે સુતરાઉ કપડા નો માસ્ક પહેરવો હોય તો તમારે બે પહેરવા જોઈએ, પરંતુ જો સર્જિકલ માસ્ક હોય તો માત્ર એક જ કામ કરી શકે છે.

ગાઇડલાઇન્સમાં જણાવ્યા મુજબ, જો તમે સર્જિકલ માસ્ક પહેરો છો, તો તેનો ઉપયોગ ફકત એક જ વાર કરી શકાય છે. જો કે, તમે ૫ વખત ડબલ માસ્ક પહેરી શકો છો. આટલું જ નહીં, વૈજ્ઞાનિક સલાહકાર દ્વારા જારી કરવામાં આવેલી સલાહમાં જણાવાયું છે કે વેન્ટિલેશનવાળા સ્થળોએ ચેપ ફેલાવાનું જોખમ ઓછું છે. તેથી, ઘરે અને કામના સ્થળે વેન્ટિલેશન વધુ સારૂ હોવું જોઈએ. તેનાથી સંક્રમણ ઓછું ફેલાય છે.

Related posts

ગૃહમંત્રાલયએ અનલોક.૦૫ ની ગાઈડલાઈ જાહેર કરી

Ahmedabad Samay

ત્રિપુરામાં અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત

Ahmedabad Samay

ભારત-ઓસી. વન-ડે, ટી૨૦ની તમામ ટિકિટનું કોરોનાના ભય છતાં ૩૦ મિનિટની અંદર ટિકિટોનું વેચાણ

Ahmedabad Samay

મોતીલાલ ઓશવાલ બ્રોકરેજ હાઉસે 9 એવા શેરોની યાદી જાહેર કરી છે જે આગામી સમયમાં રોકાણકારોને માલામાલ કરી શકે છે

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે મુસાફરો માટે અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

Ahmedabad Samay

બંધારણીય પ્રક્રિયા મુજબ હવે સત્તાવાર રીતે ‘કેરળ’ ઓળખાશે ‘કેરલમ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો