May 7, 2026
દેશ

જૂનના પહેલા સપ્તાહ થી લોકડાઉનમાં રાહત મળશે

દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું છે અને સાજા થનારા દર્દીઓની વધી રહેલી સંખ્‍યાને જોતા જૂનના પહેલા અઠવાડિયાથી લોકડાઉનથી રાહત મળવાની આશા વધી ગઇ છે. આર્થિક ગતિવિધિઓ શરૂ થશે. જો કે આરોગ્‍ય મંત્રાલયના એક સીનીયર અધિકારીએ લોકડાઉન હટાવવામાં અત્‍યારે સાવચેતી રાખવાની સલાહ આપી છે. કહેવામાં આવ્‍યું છે કે પોઝિટિવીટી દર નક્કી કરેલા માપદંડમાં આવી જવા છતાં તેના પર નજર રાખવી પડશે કે સંખ્‍યા ફરીથી વધવા ના લાગે.

 

જુનના પહેલા સપ્‍તાહથી કેટલાય રાજ્‍યોમાં લોકડાઉનમાં રાહત મળવાની આશા વ્‍યકત કરતા આ અધિકારીએ કહ્યું કે, પોઝીટીવીટી રેટ ઘટવા છતાં લોકડાઉન લંબાવવાનો નિર્ણય બે કારણોથી લેવાયો હતો. એક તો લોકડાઉન ખુલ્‍યા પછી પોઝીટીવીટી રેટ વધવાનું નક્કી માનવામાં આવે છે અને બીજું હાલમાં સક્રિય દર્દીઓની સંખ્‍યા હજુ પણ ઘણી વધારે છે. એટલે એ રાજ્‍યોએ વધારે સતર્ક થવાની જરૂર છે જ્‍યાં પોઝીટીવીટી રેટ ઓછો હોવા છતાં સક્રિય કેસોની સંખ્‍યા બહુ વધારે છે.

Related posts

દિલ્હીના સીએમ ને લાફો મારનાર ના માતાએ કર્યા મોટા ખુલાસા, હાલમાં માનસિક તકલીફ પણ ધરાવે છે. તે ગમે ત્‍યારે ગુસ્‍સો થઇ જાય તો ઘરમાં અમને પણ મારકુટ કરી લેતો જણાવ્યું

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે મુસાફરો માટે અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

Ahmedabad Samay

કેન્દ્ર સરકારે  કોરોના અંગેના દરેક પ્રતિબંધોને હટાવવાનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

એર ઇન્ડિયા૧૯મે થી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરશે.

Ahmedabad Samay

બિહારમાં બી.એસ.એફ જવાન સહિત તેના ૦૬ ભાઈઓ પર તલવારો અને બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ  આજે ભાજપ વર્કશોપમાં હાજરી આપી હતી. પીએમ મોદી વર્કશોપમાં સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા જોવા મળ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો