June 21, 2026
ગુજરાત

નરોડા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ, રામ રાજ્ય પ્રજા દુખીના દ્રશ્યો

રાજ્યમાં હાલ કોરોના વાયરસ જેવી મહામારી ચાલી રહી છે તે સાથે અવનવા રોગો પણ સામે આવી રહ્યા છે જે માટે સરકાર દ્વારા સ્વચ્છતા માટે પણ ધ્યાન આપવા જણાવવામાં આવ્યું છે અને ભારત ભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે આવતા હોય છે.


પરંતુ સ્વચ્છતા અભિયાન એ ફક્ત કહેવા માટે અને ફોટો પડાવવા પુરતાજ હોય છે. નરોડા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે નરોડામાં અનેક ઠેકાણે અને ફ્લેટના બહાર ગંદકી જોવા મળી રહે છે, નરોડાના મધુવન ગ્લોરી ફ્લેટના પાસેના ભાગે આવેલ માર્ગ પર કેટલાય દિવસથી AMC ના સફાઇ કર્મચારીઓ દ્વારા સફાઈ કરવા આવી નથી જેના કારણે ત્યાં ઘણો કચરો એકત્રિત થઇ ગયો છે જેને પગલે ગંદકી અને મચ્છરો થઇ ગયા છે જે કારણે બીમારી ફેલાવાનો ભયપણ રહેછે.

વધુમાં ફ્લેટના માર્ગ પર પાણી ભરાવવાની સમસ્યા પણ અવારનવાર ઉઠતી હોય છે જેના કારણે પણ રોગચાળો ફેલાય શકે તેવી સમસ્યા જોવા મળી રહીછે , સરકારી બાબુઓ અને નેતાઓ આ વિસ્તારમાં પૂરતો ધ્યાન આપતા નથી લોકોની સમસ્યાઓ નો અંત જ નથી આવતો નરોડામાં રામ રાજ્ય પ્રજા દુઃખી જેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે.

Related posts

વડોદરા-કરાંચી જેલથી છૂટી સ્વદેશ પરત ફરેલા દિવના માછીમારે પાકિસ્તાનની જેલમાં વિતાવેલા દિવસો વિશે કહી કંઈક આવી કહાની

Ahmedabad Samay

ગાંધીનગર-તલાટીની પરીક્ષામાં આજે 1 વાગ્યાથી ડાઉનલોડ કરી શકો છો કોલલેટર

Ahmedabad Samay

આધારકાર્ડમાં નામ બદલવા કે સુધારવા હવે ફરજીયાત ગેજેટ નોટિફિકેશન આપવું પડશે

Ahmedabad Samay

ઓમિક્રોનની હવે ગુજરાતમાં એન્ટ્રી, તંત્રમાં ખળભળાટ મચી જવા પામી. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા દર્દીને કોરોના પોઝીટીવ જાહેર થયો

Ahmedabad Samay

રાઈઝીંગ ઈન્ડીયા દ્વારા સ્વદેશી વસ્તુઓના પ્રચાર પ્રસાર માટે વોકલ ફોર લોકલ અભિયાન ચલાવ્યું

Ahmedabad Samay

આજે ચંડોળા તળાવ ખાતે આવેલા કેટલાક ગેરકાયદે ધાર્મિક સ્થળો પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવવામાં આવ્યું, AMC દ્વારા ₹૨૭.૫૩ કરોડના ખર્ચે ચંડોળા તળાવનો આધુનિકરણ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો