June 22, 2026
દેશ

જૂનના પહેલા સપ્તાહ થી લોકડાઉનમાં રાહત મળશે

દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું છે અને સાજા થનારા દર્દીઓની વધી રહેલી સંખ્‍યાને જોતા જૂનના પહેલા અઠવાડિયાથી લોકડાઉનથી રાહત મળવાની આશા વધી ગઇ છે. આર્થિક ગતિવિધિઓ શરૂ થશે. જો કે આરોગ્‍ય મંત્રાલયના એક સીનીયર અધિકારીએ લોકડાઉન હટાવવામાં અત્‍યારે સાવચેતી રાખવાની સલાહ આપી છે. કહેવામાં આવ્‍યું છે કે પોઝિટિવીટી દર નક્કી કરેલા માપદંડમાં આવી જવા છતાં તેના પર નજર રાખવી પડશે કે સંખ્‍યા ફરીથી વધવા ના લાગે.

 

જુનના પહેલા સપ્‍તાહથી કેટલાય રાજ્‍યોમાં લોકડાઉનમાં રાહત મળવાની આશા વ્‍યકત કરતા આ અધિકારીએ કહ્યું કે, પોઝીટીવીટી રેટ ઘટવા છતાં લોકડાઉન લંબાવવાનો નિર્ણય બે કારણોથી લેવાયો હતો. એક તો લોકડાઉન ખુલ્‍યા પછી પોઝીટીવીટી રેટ વધવાનું નક્કી માનવામાં આવે છે અને બીજું હાલમાં સક્રિય દર્દીઓની સંખ્‍યા હજુ પણ ઘણી વધારે છે. એટલે એ રાજ્‍યોએ વધારે સતર્ક થવાની જરૂર છે જ્‍યાં પોઝીટીવીટી રેટ ઓછો હોવા છતાં સક્રિય કેસોની સંખ્‍યા બહુ વધારે છે.

Related posts

અશોક ગેહલોતે ચિરંજીવી હેલ્થ ઈન્સોરન્સ સ્કીમની જાહેરાત કરી

Ahmedabad Samay

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે, પાકિસ્તાન  દ્વારા સંચાલિત ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો, ૦૬ આંતકીની કરી ધરપકડ

Ahmedabad Samay

તાપસી ફિલ્મ “રશ્મિ રોકેટ” માટે કરી રહી છે વર્કઆઉટ

Ahmedabad Samay

અલવિદા હાસ્ય સમ્રાટ રાજુ શ્રીવાસ્તવ, સૌને હસાવનાર સૌને રડાવી ગયા

Ahmedabad Samay

મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર પથ્થરો અને ઇંડા વડે ઘાતક હુમલો

Ahmedabad Samay

રણદીપ હુંડા દેખાશે વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો