February 6, 2026
ગુજરાત

રાત્રી કરફ્યુ ૦૯ થી સવારના ૦૬ સુધી અમલી,હોટેલ વાળા ખાલી ડિલિવરી કરી શકશે

Ad

રાજ્યના 36 શહેરોમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુની મુદત એક અઠવાડિયું વધારાઈ છે. જોકે રેસ્ટોરન્ટ અને ફૂડ સર્વિસને રાત્રે 10 વાગ્યા સુધી છૂટ અપાઈ છે ત્યારે લોકોમાં અસમંજસ છે કે શું રાત્રે 10 વાગ્યા સુધી હોટલ રેસ્ટોરન્ટમાં ફૂડ લેવા જઈ શકાશે કે કેમ ?

જે અંગે સૂત્રોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાત્રી કર્ફ્યુનો અમલ જાહેર જનતા માટે રાત્રે 9 વાગ્યાથી જ થશે. જોકે હોટલ રેસ્ટોરન્ટ વાળા જાતે અથવા ફૂડની હોમ ડિલિવરી કરતી સર્વિસીસ રાત્રે 10 વાગ્યા સુધી ફૂડની હોમ ડિલિવરી કરી શકશે. પરંતુ જનતા માટે રાત્રી કર્ફ્યુની અમલવારી રાત્રે 9 વાગ્યાથી થતી હોય લોકો જાતે રેસ્ટોરન્ટ પર ફૂડ લેવા જઈ શકશે નહીં.

આ સાથે અકીલાને સત્તાવાર સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે રાત્રે 9 થી 10 વચ્ચે રેસ્ટોરન્ટ વાળા અથવા ફૂડની હોમ ડિલિવરી કરતી સર્વિસીસના વ્યક્તિને પોલીસ કઈ કનડગત નહિ કરે.

Related posts

માસ્કની ડિમાન્ડ વધતા, માસ્ક ખરીદવા નકલી નોટનો થયો ઉપયોગ

Ahmedabad Samay

શાહીબાગ પોલીસ કમિશનર કચેરી પાછળ જ ધમ ધમે છે જુગરધામ, સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી

Ahmedabad Samay

૧૦૮ તરિકે જાણીતા જન સેવક શ્રી ભવાનીસિંહ શેખાવત અને “સેવા પરમો ધર્મ” માનનારા સંજય સાહુ સાથે મુલાકાત

Ahmedabad Samay

ગુજરાત બોર્ડની એસએસસી પરીક્ષાનું એડમિટ કાર્ડ કરાયું જારી, આ રીતે કરી શકાય છે ડાઉનલોડ

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં સીઝનના ત્રણ રાઉન્ડ દરમિયાન 83 ટકા વરસાદ ખાબક્યો, બે ઝોનમાં 100 ટકાથી પણ વધુ વરસાદ

Ahmedabad Samay

ગરમીનાં કારણે શાહરુખ ખાનને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતાં KD હોસ્પિટલ લઇ જવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો