May 7, 2026
ગુજરાતરાજકારણ

પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાયું

અમદાવાદના વસ્ત્રાલ-આદિનાથ નગરમાં 4.78 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર નગરજનોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરના આગોતરા આયોજન રૂપે તૈયાર થયેલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અમદાવાદ પૂર્વના રહીશો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે તેવો ભાવ પ્રદિપસિંહે વ્યક્ત કર્યો હતો.

30 બેડની સુવિધાઓથી સજ્જ નવિન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર રહીશો માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સમોવડું સાબિત થશે તેમ જણાવી પ્રદિપસિંહ જાડેજાએ આ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં ગાયનેક, બાળરોગ સહિતના વિવિધ મેડીકલ વિભાગો તેમજ રેડીયોલોજી, લેબ ટેકનીશીયન જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું જણાવ્યું હતુ

 

આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી 10 કરોડના ખર્ચે કોમ્યુનીટી હેલ્થ સેન્ટરના પ્રવર્તમાન 30 બેડની ક્ષમતા વધારીને 100 સુધી કરવામાં આવશે તેવી મહત્વની જાહેરાત કરતા પ્રદિપસિંહે કહ્યું કે, 100 બેડની કેપિસીટી ધરાવતી અમદાવાદ પૂર્વ વિસ્તારની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સાબિત થશે. જેનો લાભ અમદાવાદ પૂર્વ વિસ્તારના ગરીબ, શ્રમિક અને મધ્યમ વર્ગીય પરીવારોને મહત્તમ થશે.

આ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં હાલની સ્થિતિએ ઉપલ્બધ તમામ 30 બેડને ઓક્સિજનની સેન્ટ્રલ લાઇન સાથે ટૂંક સમયમાં જોડવામાં આવશે.હોસ્પિટલ કેમ્પસમાં એક મીની ઓક્સિજન ટેંક પણ પ્રસ્થાપિત કરવામાં આવશે.આજે શુભારંભ થયેલ નવીન કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં આગામી સમયમાં જરૂરિયાત પ્રમાણે તમામ આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરવામાં આવશે અને તમામ જરૂરીયાત સત્વરે પૂર્ણ થાય તે દિશામાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

Related posts

૨૦૨૦ માં આ ઘટનાઓ માટે રહેશે યાદગાર

Ahmedabad Samay

સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું : શ્રીમતી પી. ભારતી (નિર્વાચન અધિકારી)

Ahmedabad Samay

અમદાવાદમાં ધોધમાર વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા,સાત અંદરબ્રિજ બંધ કરાયા, જાણો ક્યાં કેટલા ઇંચ વરસાદ પડ્યો

Ahmedabad Samay

અમદાવાદ – કાર બાદ હવે બાઈક ભૂવામાં જતી રહી, ગઈકાલે પડેલા વરસાદમાં કોર્પોરેશનની ખૂલી પોલ

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ માં ગુજરાત સરકારે આપી ઘણી રાહત.

Ahmedabad Samay

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી 400 વર્ષ જૂની મંસા મસ્જિદનો એક ભાગ રોડ પહોળો કરવા માટે તોડી પાડવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો